________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ਰ
૨૨-૯-૮૩
સ્વદોષદર્શનની ભૂમિકા પર આવવું તે આત્મિક વિકાસ સૂચવે છે પણ સાથે કર્મના સંસ્કારોની પ્રબળતાને આગળ કરી નિરાશાવાદના સકંજામાં ન ફસાશો.
પુરુષાર્થ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. પરમાત્માના શાસનના શરણે વૃત્તિઓને શ્રી નવકારના માધ્યમથી સમર્પિત કર્યાં પછી માત્ર આજ્ઞાધીન જીવન કેળવવા તરફ પૂરતું લક્ષ્ય આપવું. કર્મના સંસ્કારોની પ્રબળ શકિત ત્યાં સુધી કે જ્યાં સુધી અંતરાત્માની જાગૃતિ ન થઈ હોય, તેમાં પણ પંચપરમેષ્ઠીઓના શરણે સમર્પિત ભાવ સાથે વૃત્તિઓ લીન થવા પામે પછી તો અંતરાત્માની શકિતઓનું જોડાણ પરમતત્ત્વની દિવ્યશકિતઓ સાથે થઈ જવાથી ગમે તેવા પ્રબળ સંસ્કારો શિથિલ થયા વિના ન રહે. આ નિ:શંક બાબત છે.
જ્યારે જ્યારે કર્મના સંસ્કારો અશુભ દિશામાં આપણી વૃત્તિઓને ધકેલે, અગર તેવાં નિમિત્તો આપણને તે બાજુ લઈ જવા મથે ત્યારે ત્યારે શ્રી નવકારની ચૂલિકાના (છઠ્ઠા - સાતમા) બે પદો ખૂબ ગંભીરતાથી મનમાં ચિંતવવા અગર સતત તેનો જાપ કરવો. અંતરનાં બંધનો તાપથી બરફ ગળે તેમ ઓગળી જાય તેવો અનુભવ થશે. ગમે તેવા દૃષ્ટિના વિકારો પણ અંતરથી ચૂલિકાના પ્રથમ બે પદનું સતત ચિંતન જાપ કરવાથી અંતરાત્માની સુષુપ્ત શકિત શ્રી નવકારના શાશ્વત દિવ્યવર્ણોના માધ્યમથી પરમાત્મ તત્ત્વની દિવ્યશક્તિઓ આપણા અંતરમાં પ્રસરવા માંડે છે. પરિણામે અંતરમાં દિવ્યતત્ત્વના ઝબકારા શરૂ થઈ વિકારી વાસનાનાં અંધારાં હઠવા માંડે.
1
દ્વી
યોગ શાસ્ત્ર – હેમચન્દ્રાચાર્યનો પ્રકાશ ૧ થી ૪ જ્ઞાનાર્ણવ
Jain Education International
૨૨૫
છેવટે શ્રી નવકારની ચૂલિકાના તેજસ્વી અક્ષરો અંતરને ઝબકારાથી ભરી દઈ વિકારી વાસનાઓને મૂળથી હઠાવી દે છે. વળી જ્યારે જ્યારે દૃષ્ટિવિકાર થવા પામે ત્યારે ત્યારે બાર ભાવના પૈકી અશુચિ ભાવનાનો વિચાર ખૂબ જ ઉપયોગી બનશે. તેનાથી વિકારી ભાવો સ્વત: ક્ષીણ શકિતવાળા બની આપણામાંથી સદાના માટે વિદાય લેશે. વળી વૈરાગ્યપૂર્ણ સાહિત્ય ખૂબ જ વાંચવું. એ પણ દૃષ્ટિકુશીલતાને વારવાનો મૌલિક ઉપાય છે.
અધ્યાત્મકલ્પદ્રુમ – મોતીચંદ ગિરધર કાપડિયા શાંતસુધારસ મોતીચંદ ગિરધર કાપડિયા
For Private & Personal Use Only
www.jainelibrary.org