________________
૨૨૪
શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા
SI)
ક
૧૬-૯-૮૩, ભાસુ. ૧૦ વિ. આરાધનાની મસ્તી ઊપજે ત્યારે આરાધનાની ગાડી બરાબર છે એમ જાણવું. આરાધનાની મસ્તી એટલે = આવી પડનારા વિક્ષેપોથી ગભરામણ ન થાય અને દિવ્ય આનંદની લહેરોથી જગતના અનુકૂળ સંયોગોની આસકિત ન ઊપજે.
આ જાતની મસ્તી લાવવા માટે સતત નિયમિત જાપ વધારવાની જરૂર છે. શરીરના રોમેરોમ શ્રી નવકારના વર્ષો સ્થિર થઈ જાય એ રીતે ઉત્સાહપૂર્વક જાપ થવો જરૂરી છે. અંતરના ઉત્સાહ – ઉમંગનો ઊભરાટ શ્રી નવકારના જાપ વખતે ઊપજે તો જાણવું કે શ્રી નવકારનો જાપ ઠેઠ ઊંડે સુધી પ્રસર્યો છે. જેમ બને તેમ શુદ્ધ સ્પષ્ટ માનસિક ઉચ્ચાર સાથે જાપ કરવાની જરૂર છે.
જાપની સાથે અક્ષરો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત પણ ભૂલવા જેવી નથી. જાપ પૂર્વે શ્રી નવકાર અંગેનું સાહિત્ય ૨૦ મિનિટ વાંચવું. જાપ પછી ૧૦ મિનિટ બેસી રહેવું. મનની સપાટીએ ક્યા વિચારો આવે છે તે વિચારોમાં અશુભ તત્વ કેટલું છે ? પ્રથમ કરતાં ઘટ્યું કે નહીં ? તેની જરા સમીક્ષા કરવી. છેવટે મચથી શર નાતિ ત્વમેવ શરણં મમ એ વાકય ૭ વાર બોલી સમર્પણભાવની કેળવણી કરવી.
વિચારોને જિવાડનાર સંકલ્પ છે, સંકલ્પોને ઉપજાવનાર આપણી કલ્પનાઓ છે. માટે આપણી કલ્પનાના ક્ષેત્રમાં શ્રી નવકારની શકિત વિના જગતમાં કંઈ ન થઈ શકે. શ્રી નવકારમાંથી ઊપજતા વિરાટ પુણ્યયોગથી જ જગતમાં બધું વ્યવસ્થિત ચાલે છે.
જ્યાં જ્યાં શ્રી નવકાર સાથેનું કનેકશન સ્વચ્છંદવાદ કે પુદ્ગલરાગથી કટ થાય છે ત્યાં ત્યાં જગતમાં આધિ-વ્યાધિ-અશાંતિ ઊપજે છે. આવી ભાવના સતત કરવાથી બધી કલ્પનાઓ છૂટી જાય છે. પરિણામે જીવન ખૂબ જ શાંત, ધીરગંભીર બની જાય છે. તેવી ગંભીર પ્રકૃતિ થયેથી અનંત ઉપકારી પંચપરમેષ્ઠીઓની સતત વહી રહેતી અનંત કરુણા શકિતના આપણે પાત્ર બની શકીએ છીએ.
માટે વિકલ્પોનું શમન સમર્પણભાવની કેળવણીથી કરવાની ખાસ જરૂર છે. તેથી પ્રકૃતિ ધીર-ગંભીર બની પરમેષ્ઠીઓની કરુણાને પાત્ર આપણે બનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org