________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૨૨૩
માવજતમાં તેને ખૂબ આનંદ આવતો.
એક વખત પોતાના ગામ કિનારે વહેતી નદીના સામા કાંઠે ઢોરોને લઈ જંગલમાં ચરાવતાં એક ઝાડ નીચે એક મુનિરાજને કાઉસગ્ગ ધ્યાને ઊભેલા જોયા – સવારે ૧૦ વાગે યા – બપોરે ત્રણ વાગે પાછા ફરતાં જોયા -. બીજે દિ' પણ જોયા, ત્રીજે દિ’ પણ જોયા, તે જ જગ્યાએ સ્થિર ઊભેલા તે મુનિને જોઈ સુદર્શન શેઠના જીવને એમ થયું કે ધન્ય છે ! આ મહારાજને ! પોતે પાસે જઈ આસપાસની જગ્યા સાફ કરી થોડી વાર બેસી “મારા યોગ્ય કંઈક કામકાજ” એમ પૂછતો. મહારાજ કંઈ બોલે નહીં ! બપોરે ઢોરો આમ તેમ ચરે, ઓલા ભાઈ મહારાજ પાસે બેસી મહારાજની ચર્યા જુએ – મનમાં ખૂબ આનંદિત થાય. મહારાજની ધીર શાંત મુદ્રા જોઈ રોજ પ્રભાવિત ચિત્તે મહારાજની પરિચર્યા કરે.
એક દિ' સાંજે ત્રણ વાગે પાછા ફરતાં તેને વિચાર આવ્યો કે શિયાળો છે, રાત્રે પૂ. મહારાજશ્રીને ઠંડી વાશે એમ કરી પોતાનો ગરમ કાંબલનો ધાબળો મહારાજને ઓઢાડીને ઘેર ગયો. સવારે પૂ. મહારાજશ્રી તો તે રીતે જ ઊભા હતા. પેલો કાંબળો નીચે પડી ગયેલ. ઓઢવા પ્રયત્ન જ પૂ. મહારાજે ન કર્યો - જાણી પૂ. મહારાજની ધીરતાથી પ્રસન્ન થઈ પૂ. મહારાજનાં ચરણોમાં વિનયથી બેસી કાલાવાલા કરવા લાગ્યો. મહારાજ! મારો કાંબળો ન ઓઢ્યો કેમ ? એટલે પૂ. મહારાજ શ્રી કાઉસ્સગ્ગ પારી બોલ્યા, ભાઈ ! અમે સાધુઓ શરીરના મોહને ઘટાડવા આવી તપશ્ચર્યા કરીએ છીએ. એમાં તારી ભકિત ઉત્તમ, પણ અમારે ન વપરાય વગેરે કહી નમો રિહંતાનું કહી આકાશ માર્ગે ઊડી ગયા. એટલે આને એમ થયું કે આકાશમાં ઊડવાનો આ મંત્ર લાગે છે. લાવ ! હું ય જ! – પછી હરદમ મનમાં પ્રથમ પદ જગ્યા કરે. એક દિ શેઠ ઘરે જમતા હતા અને આ પણ જમવા બેઠો. રોટલી આવતા વાર લાગી તો આ નોકર ‘ઇમો અરિહંતા નો જાપ કરવા લાગ્યો - શેઠે પૂછયું ? શું બોલે છે. નમો અરિહંતાનું સાંભળી શેઠ ચમકયા. શેઠ શ્રાવક હતા એટલે પૂછ્યું કે કયાંથી શીખ્યો ત્યારે બધી વાત કરી એટલે પછી તેને આખો નવકાર શેઠે શિખવાડ્યો.
એક વખત ઢોરોને લઈ નદીના સામા કિનારે ચરાવવા ગયો ત્યાં ઉપરવાસમાં વરસાદ થવાથી નદીમાં પૂર ઘણું આવ્યું એટલે સાંજે પાછા વળતાં ઢોરો તો પાણીમાં તરવાના સ્વભાવે નીકળી ગયા. ત્યાં આ નોકર પેલા મહારાજ vમો અરિહંતાણં બોલી આકાશમાં ઊડી ગયા તો હું પણ નદીના સામા કાઠે જાઉ એમ કરી નમો રિહંતાનું કહી નદીમાં પડતું મૂકયું. એક ખીલા જેવાથી હૃદય ભેદાઈ ગયું પણ શ્રી નવકારના ધ્યાનમાં શ્રીમંત શેઠને ત્યાં સુદર્શન શેઠ તરીકે જન્મ્યો.
આ રીતે સતત નવકારના પ્રથમ પદના જાપથી રાગાદિના સંસ્કારો ઢીલા થયેલ, ત્યાં સમર્પિત ભાવની કેળવણી મજબૂત થવાથી નોકર નવકારના પ્રથમ પદના જાપથી બીજા ભવમાં શ્રીમંત શેઠ થયો, એટલું જ નહીં પણ મોહનીય સર્વથા મંદ થઈ ગયું – અજોડ બ્રહ્મચર્ય પાલન કરી શૂળીના સિંહાસન જેવા ચમત્કારને લાયક બની શક્યો.
આ રીતે સમર્પિતભાવ કેળવવાની ખાસ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org