________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૨૧૮
થઈ. પોતે તો પોતાની જાતને સંયમી રાખે, મળેલ વધુ સામગ્રી જિનપ્રતિમા, જિનમંદિર, સંઘપૂજન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ૭ ક્ષેત્રોમાં યથાયોગ્યતા મુજબ આદરપૂર્વક ભકિતનો લાભ લઈ પોતાની જાતને કૃતાર્થ કરવાની તક મેળવવી.
જગતના પદાર્થો ધાર્યા મુજબ ન મળે તો આપણા આત્માએ ભૂતકાળમાં અજ્ઞાનદશામાં બાંધેલ અંતરાય કર્મનો ઉદય ક્ષીણ કરવાની પવિત્ર તક મળી. હસતા મોંએ પ્રસન્નતાપૂર્વક કર્મનું દેવું ચૂકવવાની તક સમજી સાચા શાહુકારની જેમ સ્વસ્થતા જાળવવી.
વધુમાં વર્તમાનકાળે જોઈતી ચીજો પૂરી ન મળે તો તે બહાને જીવનમાં સંયમ કેળવવાની તક મળી એમ સમજી ત્યાગ, તપ, દાન, સંયમ આદિ દ્વારા આવી પડેલ વિષમ સ્થિતિનો ઉપયોગ કરવો પણ બળાપો ન કરવો.
આત્મિક વિકાસક્રમમાં કયારેક વિષમ દેખાતી ક્ષણો જ આપણી અંતરંગ શક્તિઓના ઉત્થાન માટે ખૂબ સોનેરી પળો હોય છે.
અજ્ઞાન-અવિવેકથી તે પળોની મહત્તા ન સમજી શકવાથી તેનો લાભ લેવાના બદલે બળાપો કરી નવાં કર્મ બાંધી તે વિકાસની તક ખોવી પડે તેવી દશાનું નિર્માણ અજ્ઞાનદશાથી આપણે કરીએ છીએ. માટે વિવેકથી વિષમ સ્થિતિમાં પણ પ્રસન્નતા જાળવવી.
પાલનપુર
૨૪-૮-૮૩ મનની પ્રવૃત્તિ પર નિયંત્રણ આવે તે આરાધનાનું પ્રાથમિક પગથિયું ગણાય. મન સંસ્કારોનું ગુલામ છે. સંસ્કારો પૂર્વકૃત અશુભ પ્રવૃત્તિનું ફળ છે. એટલે આપણી ભૂતકાલીન અવળા પુરુષાર્થની દિશામાં જ સંસ્કારો મનના માધ્યમથી આપણને ખેંચી જાય છે.
આરાધના એટલે આત્મિક શક્તિઓનો સવળો પુરુષાર્થ !ા માટે મનના આવેગ – પ્રવૃત્તિ પર નિયંત્રણ એ આરાધનાની પ્રાથમિક ભૂમિકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org