________________
૨૧૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
ડોકિયું કરવું જરૂરી છે. પાયાની ચીજે હજુ ઘણી ખૂટે છે અને બુદ્ધિ-તર્કના જોડાણથી થોડીઘણી પણ સાધનાપદ્ધતિ સરળ થઈ શકતી નથી. માટે ઊંડાણથી ગંભીરતાપૂર્વક અંતરનિરીક્ષણ કરવાની ખાસ જરૂર છે.
૧૭-૮-૮૩ વિશેષ શ્રી નવકારમાં – તેની ઉપાસનામાં જ્ઞાની ગુરુની આજ્ઞા - માર્ગદર્શન મુજબ લીન થઈ જવા સિવાય જીવનનો બીજો કોઈ લ્હાવો નથી. જગતના પદાર્થો કર્મના ઉદયને આધીન રીતે મળે છે – જાય છે.
| ગમે તે કર્મનો ઉદય મોહનીય કર્મની પ્રબળતાએ આપણને સતાવે છે. પણ શ્રી નવકારના શ્રદ્ધા-ભકિતપૂર્વક જાપથી ગમે તેવા મોહનીય કર્મના પડદા ફાટી જાય છે.
જેવું ઠંડીનું જોર વધે કે ગરમી હટી જ સમજે, તેમ શ્રી નવકારના જાપના હિસાબે આપણા અંતરાત્માનું ચૈતન્ય પ્રબલ થવા માંડે એટલે કર્મસત્તાને હટવું પડે.
આ નિયમને નજર સામે રાખી દુન્યવી વ્યવહાર બધો શ્રી નવકારને સોંપી તેની આજ્ઞા પ્રમાણે ફરજ મુખ્ય કર્તવ્યનિષ્ઠાના ધોરણે કરવા પ્રયત્નશીલ થવું. બાકી ખરો પુરુષાર્થ તો આપણા અંતરંગ ચૈતન્યની શક્તિઓના વિકાસ માટે પંચ પરમેષ્ઠીઓને વિશુદ્ધ આદર્શરૂપે રાખી તેઓની આજ્ઞા મુજબ જીવનના ઘડતર સાથે તેઓની શ્રદ્ધા ભકિતમાં પુરુષાર્થ ફોરવવો વાજબી છે.
આરાધક એ જે આરાધ્યની શ્રદ્ધા-ભક્તિમાં લીન થઈ જાય. રાગ-દ્વેષના નિમિત્તોને પણ નિષ્ફળ બનાવે તેવા આદર્શ સંયમની કેળવણી શ્રી નવકારના આરાધક આત્માએ કરવાની છે. તે માટે જ્યારે વિષયની વાસના કે કષાયનો આવેગ આવે ત્યારે ત્યારે ૧ નવકાર - ૩ નવકાર - ૭ નવકાર – ૧૨ નવકારના ક્રમે ધીરે ધીરે વૃત્તિઓ પર સંયમનું ઓઢણું ચઢાવવા પ્રયત્ન કરવો. વળી દુનિયાના પદાર્થોની પ્રાપ્તિ થાય તો સમજવું કે આરાધનામાં પ્રવૃત્ત બીજા પ્રાણીઓની ભકિત માટેની સગવડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org