________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૭
વિચારોની સીમાની પેલે પાર આરાધનાનું ક્ષેત્ર શરૂ થાય છે. તેમાં પણ તર્કશક્તિનું સંપૂર્ણ નિયંત્રણ થયા પછી સાધનાનું ક્ષેત્ર શરૂ થાય છે.
વિચારોની સક્રિયતા કે તર્કશક્તિ આ બે તત્ત્વોથી આરાધના – સાધનાનો માર્ગ ડહોળાય છે. ભણતર અને હાઈએજ્યુકેશન મનને આવા મૂઢ સમર્પણની આડે આવે છે.
પણ શ્રદ્ધાના પાયા પર વિચારો અને તર્કશકિતના વિલીનીકરણવાળું મૂઢ સમર્પણ ખૂબ જરૂરી છે. તે ત્યારે થાય કે જ્યારે આંતરિક શકિતઓના વિકાસની મહત્તા સમજાય. આંતરિક શક્તિઓના વિકાસની આડે બુદ્ધિના દ્વાર આગળ પડેલ તર્કોનો કચરો ઉઠાવવાની જરૂર છે. તે માત્ર ભક્તિયોગ મિશ્રિત જપયોગથી બની શકે. તેથી “તુંહી - તુંહી''ના ભાવ સાથે નિષ્કામ ભકિતયોગની ભૂમિકાએ પંચપરમેષ્ઠિઓની આજ્ઞાને જીવનમાં સાકાર બનાવવાના લક્ષ્ય સાથે તેઓના ગુણોને સ્મૃતિપટમાં રાખી સતત જાપ સ્મરણ કરવાથી બુદ્ધિના દ્વાર આગળ પડેલ આડાશ – દબાણ કે અવરોધોનું પ્રમાણ ઘટી જાય છે.
વિચારશક્તિ – તર્કશક્તિને માત્ર આજ્ઞાને અમલમાં શી રીતે ઉતારવી ? તે અંગે વાપરી શકાય, પણ આજ્ઞા આવી કેમ ? આના કરતાં આમ હોય તો કેમ ? એ જાતના વિચારો આપણામાં સ્વચ્છેદભાવના અસ્તિત્વને સૂચવે છે. સ્વચ્છંદતાના વિલય વિના ભક્તિયોગ જામતો નથી. ભકિતયોગની જમાવટ વિના સાધનામાં ગતિશીલતા આવતી નથી. વળી વિચારોમાં આચારનું પ્રતિબિંબ.આચારમાં વિચારોનું પ્રતિબિંબ પડતું હોય છે. માટે ભકિતયોગથી વિચારોને સુવ્યવસ્થિત બનાવી લેવાની જરૂર છે, જેથી તેનું સાચું અને વ્યવસ્થિત પ્રતિબિંબ આચારોમાં ઊપસી આવે અને તેવા આચારોના પ્રતિબિંબથી વિચારોમાં ભકિતયોગની ધારા ઝીલવા માટે ક્ષમતા પેદા થતી જાય.
જગતના વ્યવહાર સાથે મેળ રાખી થતી ભકિતયોગની સાધના ડોળાણવાળી થાય છે. એટલે ભકિતયોગમાં મહત્ત્વ માત્ર આજ્ઞાને છે. વ્યવહાર પણ ત્યાં ગૌણ થઈ જાય. વ્યવહારની મહત્તા એટલી જ આંકવી ઘટે કે જેનાથી પરમેષ્ઠીઓની આજ્ઞામાં અવ્યવસ્થા ઊભી ન થાય. આ રીતની સાધના માર્ગની પૂર્વ તૈયારી દરેક આરાધકમાં હોવી જરૂરી છે. આવી પૂર્વ તૈયારીના પાયા પર થતા ભકિતયોગ સાથેની સાધનાનાં મંડાણ આરાધક આત્માને અંતરની આત્મશકિતઓના ઊંડાણમાં જવાનો માર્ગ મોકળો કરી આપવામાં ખૂબ ઉપયોગી બને છે. મહાપુરુષોએ આ રીતે જ અનેક ભવ્યાત્માઓને અંતરના ઊંડાણમાં લઈ જવા સફળ પ્રયાસ કર્યો છે. તમારે આ માટે અંતરનિરીક્ષણની ખાસ જરૂર છે. અંતરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org