SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી સમસ્કાર મહામંત્ર તત્ત્વ જેના પરિણામે ભૂગોળ – ખગોળના અટપટા શાસ્ત્રીય ગણિતને સાહજિકતાથી ઉકેલી શકયા – સમજી શકયા અને રજૂ કરી શકયા. શાસ્ત્ર વચન એટલે સત્ય વચન. કયાંય અસત્યનો છાંટો નહીં, તેવો અંદરથી હુંકારભર્યો અવાજ આવા પ્રકારની દિવ્ય અનુભૂતિ વગર ન આવે, અર્થાત્ આખી દુનિયા - વ્યાવહારિક જગત ભલે ગાંડામાં ખપાવે તો પણ મારા પરમાત્માનાં વચન એટલે વચન, અનુભૂતિ સિવાય આવો ભાવ કયારે આવે ? પક પૂ. ગુરુદેવશ્રીએ નારકીનાં દર્શન – દેવલોકનાં દર્શન તથા મહાવિદેહ ક્ષેત્રનાં દર્શન પણ કર્યા છે, જેના પ્રસંગો ખૂબ જ ટૂંકાણમાં આ પત્રમાળામાં પૂજ્યશ્રીએ લખેલ છે. પૂજ્યશ્રીએ જણાવેલ કે નારકીના દર્શન બાદ દિવસો સુધી ઉદાસીનતા રહેલી – ગોચરી વાપરવાનું પણ મન ન થતું. સં૨૦૧રના પોષ દશમીએ હસ્તિનાપુર તીર્થે ૨૪મા દીક્ષાવર્ષની સમાપ્તિ અને ર૫મા દીક્ષાવર્ષના આરંભે ત્રણ આયંબિલ કરી ૧૨૫૦ નવકારનો જાપ કર્યો અને પૂઆગમોદ્ધારક દેવશ્રીનાં પ્રથમ વિશિષ્ટ દર્શન થયાં. સં. ૨૦૧૩ શ્રી શંખેશ્વર તીર્થે માગસર વદ ૧૧ની રાત્રે આરાધનાની ૭ ભૂમિકાઓ દ્વારા ૧ કરોડ શ્રી નવકારના જાપનો આદેશ થયો. પર રાત્રે જાપ દરમ્યાન અવારનવાર આગમોદ્વારકશ્રીના સંદેશા મળતા અને કેટલીય વાર દર્શન થતાં. એ હકીકત છે કે પૂજ્ય શ્રી આગમ દ્વારકશ્રીએ સ્વર્ગમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીના સાધક જીવન પર નજર રાખી માર્ગદર્શન આપી તેમના જીવનને વળાંક આપ્યો. ૬ પૂ આગમોદ્વારકશ્રીનું જીવનચરિત્ર પૂ. ગુરુદેવશ્રીએ જે લખ્યું છે તે એક વિશિષ્ટ ઘટના છે. પૂ. ગુરુદેવશ્રી કહેતા કે પૂ. આગમોદ્ધારક શ્રી પોતે મને આ લખાવી રહ્યા છે. તે સમય દરમ્યાન દિવ્ય મહાપુરુષ સામે આવી બેસે અને પૂ. ગુરુદેવશ્રી જ્યાં બિરાજમાન હોય ત્યાં નોટ અને પેન આવે અને જ્યાં લખતા હોય ત્યાં દિવ્યતેજથી તેટલું દેખાય. [ આ પુસ્તકમાં પૂ આગમોદ્ધારક શ્રીની સાંસારિક સાતઆઠ પેઢીઓના વડીલોનાં નામ આપ્યાં છે. કેવા સંજોગોમાં પૂ. આગમોદ્વારકશ્રીનો જન્મ થયો. આ મહાપુરુષના જન્મ વખતે તેમનાં માતાપિતાને કેવા શુભ વિચારો – ભાવનાઓ પ્રગટી એ બધું વાંચતાં એમ જ લાગે કે આવી કોઈ દિવ્ય ઘટના સિવાય આ કશું શકય નથી. 9 પૂ આગમોદ્ધારકશ્રીએ પણ એટલે સુધી જ લખાવ્યું છે કે, જેટલું તેમનું જીવન જાહેરમાં ન હતું. પાછળના ઉત્તમ સંયમી જીવન અંગે કંઈ પણ ન લખાવ્યું, કારણ કે તે જાહેર હતું. એવું પણ સાંભળ્યું છે કે પૂ ગુરુદેવશ્રી અમુક સમયે અમુક પશુ-પંખીની ભાષાઓ પણ સમજી શક્તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy