________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્પર્યાદ્રિકા
૨૯ પૂ. ગુરુદેવશ્રીને શ્રી નવકારની આરાધનાના બળે અનેક દેવ-દેવીઓ કે ઋષિમુનિઓનાં પ્રત્યક્ષ દર્શન થતાં પરંતુ પૂજ્યશ્રી તેની ક્યારેય જાહેરાત ન કરતા, અથવા તો તેનાથી પોતાનું ગૌરવ ન દેખાડતા. આટઆટલા દિવ્ય અનુભવો છતાં બીજાને હીન ન માનતા અને તેના ગુણોનું દર્શન ખૂબ ઝીણવટપૂર્વક વિસ્તારથી કરતા...
પૂગુરુદેવશ્રીના અનુભવો ખૂબ શાસ્ત્ર સાપેક્ષ હતા, કારણ કે દિન-પ્રતિદિન તેમનો શાસ્ત્રરાગ વધતો જતો હતો. અને પરમાત્માની આજ્ઞાનું બંધન તેમના માટે બંધનરૂપ નહીં, પણ જીવનરૂપ લાગતું.
કયારેક એ જોયું છે કે અન્ય કોઈ વ્યક્તિ પોતાની આરાધનાની – સાધનાની ખૂબ વાતો કરે તો તેઓ સાંભળતા, પોતાને લેવા જેટલો સારગ્રહણ કરતા, પરંતુ હું કાંઈક છું તેવું બતાડવા પણ પોતાના સ્વાનુભવો કહેવાથી તો સદા દૂર જ રહેતા ત્યારે ઘણું આશ્ચર્ય થતું.
તેમના જીવનની ઘટનામાં બાહ્ય ચમત્કારોના ઘણા પ્રસંગો પણ બન્યા છે. તેમાંથી થોડા જ પ્રસંગ અત્રે લીધેલ છે. પૂ શ્રી નવકારની આરાધનાથી તેમની વર્ષો જૂની લાંબી માંદગી કાયમ માટે ગઈ. % સં. ૨૦૧૧ કાનપુરના ચોમાસામાં સરસ્વતી દેવીનાં સાક્ષાત્ દર્શન થયાં. અપૂર્વ શાંતિની અનુભૂતિ
થઈ.
શાહપુરના ખાડાના ઉપાશ્રયે પગનું ફેકચર થયેલ. હાડવૈધે મહિના સુધી સંપૂર્ણ બેડરેસ્ટ (આરામ) જણાવેલ પરંતુ રાત્રે એક દેવકુમારે આવી તેમના પગ પર હાથ ફેરવ્યો અને ઊભા કરીને ચલાવ્યા. શ્રી જંબુદ્વીપની પ્રતિષ્ઠા વખતે પણ પગના હાડકામાં કેક – તિરાડ પડી અને પગને કો'કના હાથ અડે ને મુખમાંથી સિસકારા નીકળે એટલી વેદના થતી અને રાત્રે મોટા ભાગનું દર્દ શ્રી નવકારના પ્રભાવે દિવ્યકૃપાએ ચાલ્યું ગયું. % નવા વાડજ હાર્ટ એટેકના પ્રસંગે ૭૨ કલાક ખૂબ ભારે જણાવેલ અને ડૉકટરોએ હાલવા - ચાલવાની
મનાઈ કરેલ તે પ્રસંગે પણ રાત્રે નવકારના જાપથી સવારે ઊઠીને પ્રભુનાં દર્શન કરવા ગયેલ. ૬ હાર્ટ એટેકના હુમલાઓ પછી પણ શ્રી ગિરનાર અને શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા, વર્ષીતપમાં પણ સામાન્ય વ્યકિત કરી શકે તેમ પગે ચાલીને કરી. આ બધા પ્રસંગોએ ચકિત બની ડૉકટરો પણ
મોંમાં આંગળાં નાંખી જતા. ક કોઈ વ્યકિતને સ્કુટરનું મોટરનું મશીન જોયા વગર તેના વિશે સાહિત્ય વાંચવા મળે તો તેના મગજમાં
બોધ થાય. પણ બ્રેક દબાવવાથી કયા વાયર ખેંચાયા અને એ ક્યાં જઈને અસર કરે યા ગીયરબોક્ષ કેવી રીતે કામ કરે તે પ્રત્યક્ષ અનુભવના અભાવે બીજા સમક્ષ દઢતાપૂર્વક રજૂઆત કરી સમજાવી ન શકે. શ્રી નવકારની કૃપાથી પૂ. ગુરુદેવશ્રીને જંબૂદ્વીપની રચનાનાં સ્પષ્ટ દર્શન બે વાર થયાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org