SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચાલવામાં અમો ઘણા ઊણા હતા. જેનું તેમને પારાવાર દુ:ખ હોવા છતાં પણ એકધારી સતત કરુણા જ વરસાવી. અંતરમાં એવી અખૂટ શ્રદ્ધા છે કે પૂ ગુરુદેવશ્રીએ બતાવેલ માર્ગ ઉપર ચાલવાથી આત્મિક સુખ-શાંતિનો અનુભવ સાહજિક રીતે થશે, અને કયારેક તો તેમની દિવ્યકૃપાના બળે તે અનુભવાશે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા જીવનમાં સદ્ગુરુનું જે મહત્ત્વ છે તેની કિંમત કયારેય આંકી શકાય તેમ નથી. દીવો લઈને શોધવા જઈએ અને અનેક ઘર ભટકયા પછી સાચું અને સારું ઘર મળે ત્યારે તેની કિંમત સમજાય, તેના બદલે વગર પ્રયત્ને સીધે સીધું જ અમૃત મળ્યું અને તેની કિંમત આજે અત્યારે જેટલી અને જે સમજાય છે તેવી અને તેટલી પહેલાં કયારેય સમાઈ ન હતી. પૂ ગુરુદેવશ્રીને શ્રી નવકારની વિશિષ્ટ આરાધના-બળે ખૂબ દૈવી અનુભૂતિઓ થઈ. શરૂઆતની ભૂમિકામાં વ્યંતર નિકાય, ભવનપતિના દેવો તેમની પાસે ખેંચાઈને આવ્યા અને તેઓની સાથે પ્રત્યક્ષ વાતચીત, સંદેશા વ્યવહાર થતા. જેમ જેમ જાપની સંખ્યા વધતી ગઈ તેમ તેમ શ્રી નવકારનું દિવ્ય આત્મિક તેજ વધવા માંડ્યું અને ઊંચા દેવલોકના દેવો ખેંચાઈને આવતા. જેમાં પાછળથી મુખ્યત્વે કરીને આગમોદ્ધારકશ્રી, ગચ્છાધિપતિ શ્રી માણિકય સા૰ મ, ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ૰ સા, પં શ્રી ભદ્રંકરવિજય મ૰ સા નાં અવારનવાર તેમનાં ધ્યાનસ્થ અવસ્થામાં મૂળ સાધુરૂપ દર્શન થયાં. પૂજ્યશ્રી કહેતા કે એક તબકકો એવો આવશે કે શ્રી નવકારના પ્રભાવના કારણે દેવસૃષ્ટિ તરફથી પ્રાપ્ત થતી પ્રેરણાઓ પણ આવવી લગભગ બંધ થઈ જશે. પૂ ગુરુદેવશ્રી રાત્રે શ્રી નવકારની નિયમિત આરાધના કરતા અને આવા જ્યારે જુદા જુદા અનુભવો થાય ત્યારે તેની નોંધ લખી લેતા, જેની આશરે ૩૦ - ૪૦ કરતાં પણ વધુ નોટબુકો હશે જે ગુપ્ત રાખતા. દેવ-દેવી સંબંધી પૂજ્યશ્રી એવું પણ કહેતા કે “દેવો કયારેક પોતાની અધૂરી ઇચ્છાઓ બીજાના માધ્યમે પૂરી કરવા ય આવતા હોય છે” જેથી પૂજ્યશ્રી આવા અનુભવોની ઘટમાળમાં જ્ઞાતા-દૃષ્ટાભાવે સ્થિર રહેતા. તેમની આસપાસના નિકટના શ્રાવકો તથા સાધુ ભગવંતોને આવી ઘટનાની થોડી ઝલકો જાણવા મળેલી છે. ન જોયેલી વ્યકિતનું આબેહુબ વર્ણન કરતા અને તેના શબ્દો સંદેશા વિભિન્ન વ્યકિતને મળતા. શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના બળે જાતજાતની સ્ફુરણાઓ થતી. રાત્રે શાસ્ત્રપાઠો ફિલ્મની સ્લાઈડોની જેમ દેખાતા. તેનાં રહસ્ય ખૂલતાં. અન્યલિંગી, હિમાલય ગિરનારમાં બેઠેલા સાધુઓ - યોગીઓ તેમની આરાધનાના બળે ખેંચાઈને તેમની પાસે આવતા. અને તેમના સાધનાના માર્ગમાં વધારે જોમ મળે, શક્તિ મળે તેવી વાતો, નવાં રહસ્યોની ચર્ચાઓ થતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy