________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૭
પરમેષ્ઠીઓની વરદકુપા, અંતરમાં હુંકારપૂર્વક પ્રતિક્ષાગ અશુભ અધ્યવસાયોની ભૂમિકાથી ભાવોને પલટાવી રહેતી હોય તેવું અનુભવાય છે.
આ બધું આપની નિકારણ કરુણા પ્રતાપ છે, આશીર્વાદ પાઠવવા કૃપા.”
અમો અલ્પ બુદ્ધિના કારણે પૂજ્યશ્રીની ઘણી બધી વિશેષતાઓને સમજી શકેલ નહીં. અને ઓછાવત્તા અંશે એવી ઈચ્છા રહેતી કે પૂ. ગુરુદેવથી અમે ઇચ્છીએ તેવું કાંઈક કરે, પરંતુ તેઓ ઈચ્છે તેવું જ કરવું તેવી ભાવના મનમાં દઢ થઈ ન હતી. શિષ્યને ગુરુ પોતાની રીતે ચાલે તો ગમે, ગુરુની રીતે શિષ્યને ચાલવાની તૈયારી ન હોય તેવી હાલત હતી.
છતાં પૂ. ગુરુદેવની એ જબરજસ્ત મેગ્નેટીક ફોર્સ ચુંબકીય શકિતથી આપોઆપ એમના તરફ ખેંચાઈ જવાતું. એ યાદ કરે કે તરત દોડી જવાનું મન થતું. પૂજ્યશ્રી પાસે ઉચ્ચ શિક્ષણવાળી વ્યકિતઓ વારંવાર આવતી. ખૂબ ઊંચો બુદ્ધિ આંક ધરાવતી વ્યકિતઓ પણ પૂજ્યશ્રીના સંસર્ગમાં આવ્યા પછી પૂ. ગુરુદેવશ્રીની આગળ બેસતાં પોતાની બુદ્ધિની બારીઓ આપોઆપ બંધ થઈ જતી એવું અનુભવતા કારણ કે ત્યાં આત્મિક વાત્સલ્યભાવની સતત પ્રતીતિ થતી.
મોસાળમાં ગયા હોઈએ, મનભાવતી વાનગી બની હોય પીરસનારી પણ માતા હોય, છતાં રસોડામાં બનતી મનભાવન વાનગીની સોડમથી જ માત્ર સંતોષ માનવો પડે અને તે વાનગીઓનો આસ્વાદ ન લઈ શકીએ તેવી દશા અમારી હતી. કારણ કે નવકાર સંબંધી અનેક આશ્ચર્યજનક હકીકતોનું પાન કરાવવા પૂ. ગુરુદેવ શ્રી તત્પર હતા, પણ પ્રમાદ, આચારોમાં ઢીલાશ અને અણસમજના કારણે માત્ર તેમની નિકટતાનો આનંદ અનુભવ્યો પણ એ આરાધનાની આનંદગંગામાં અમો સ્નાન ન કરી શકયા એનો વસવસો અત્યારે અનુભવાય છે.
આજે કબીર / રહીમના દોહાનો અર્થ સમજાય છે કે
ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય;
બલિહારી ગુરુદેવ કી, જીસને ગોવિંદ દિયો બતાય. પોતાના યા પોતાના ગુરુભગવંતોના નામની માળા ગણવાની ના પાડતા. આરાધક તરીકે વ્યક્તિરાગથી ખેંચાયા છતાં પણ વ્યકિતરાગ દૂર કરી તત્વ જોડે અનુસંધાન કરાવવાનો પ્રયત્ન કરતા. પોતાની કે પોતાના ગુરુના નામની કંઠી પહેરાવવાનો કયારેય આગ્રહ ન કર્યો, બલ્ક તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો.
કિશોર અને યુવા અવસ્થામાં પોતાના મિત્રને કહેતાં ખચકાય તેવી શારીરિક માનસિક બધી જ વાતો આપોઆપ પૂ. ગુરુદેવશ્રી આગળ કહી દેવાતી, માતા - પિતા - ભાઈ - બહેન – મિત્ર બધાને જે કાંઈ કહી શકાય તેના કરતાં વિશેષ એક જ વ્યકિત સમર્થ ગુરુનાં ચરણોમાં બેસીને કહેવાતી, કારણ કે યોગક્ષેમ કરનાર ગુરુ શરીર, મન તથા વ્યવહારથી માંડીને આધ્યાત્મિક, આત્મિક ઉન્નતિના ભાવીના કલ્યાણને નજરમાં રાખીને વાત્સલ્યપૂર્ણ દિશા સંકેત કરતા. પૂ. ગુરુદેવશ્રીના માર્ગદર્શન પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org