SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા યોગી મહાત્માઓ દૂર બેઠા બેઠા પણ સંસારની બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ રાખતા હોય છે, એવું પૂજ્યશ્રી કહેતા. અમોએ પણ અનુભવ્યું છે, કે પૂ. ગુરુદેવ ખૂબ નિવૃત્ત લાગે ત્યારે ખૂબ અંદરથી પ્રવૃત્ત રહેતા અને બાહ્ય રીતે ખૂબ પ્રવૃત્ત લાગે ત્યારે અંદરથી નિવૃત્ત રહેતા. આવા મહાપુરુષોની આવી અવસ્થાને ઉપલક દષ્ટિથી ઓળખવા જતાં તેમને અન્યાય કરી બેસીએ. પૂજ્ય ગુરુદેવ માંદગીમાં સૂતેલા દેખાય, પણ અંદરથી શ્રી નવકારના તાર ઝણઝણતા હોય. શ્રી નવકારની સરગમ ચાલતી હોય. “પરમાત્મ-ભકિતમાં લીન હોય. દિવ્ય-દૈવી શક્તિ તેમનામાં સક્રિય થઈને ક્રિયાવિત થતી હોય અને જ્યારે બાહ્ય પ્રવૃત્તિની આસપાસ ખૂબ જાળાં ગૂંથાયેલા લાગે, કરોળિયાની જેમ જાળામાં ફફ્લાયેલ લાગે, ત્યારે અંદરથી બધાં બટનો બંધ હોય, જળકમળવત્ પોતાનાં કર્મોને સાહજિક રીતે પૂરા કરતા. આ હકીકત પૂ ગુરુદેવશ્રીએ પૂ. પં શ્રી ભદ્રંકર વિ. મ. જી. ને શ્રી મનુભાઈ દ્વારા કોપી કરાવીને મોકલેલ પત્ર ઉપરથી જણાય છે. એ પત્ર નીચે મુજબ છે. “આપશ્રીની પસાથે આ સેવકાણુ નકકર રીતે આત્મસાધનાની દિશામાં પગલાં ભરી રહ્યો છે, એ આપની મંગલ કૃપાને આભારી છું. પંચ પરમેષ્ઠીઓના શરણે વૃત્તિનું શમન વિશિષ્ટ રીતે થવા પામેલ છે. મોહમાયા કે વિકારો શ્રી નવકારના તેજ આગળ ઊભા રહી શકતા નથી. તેનો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. આંતરિક આત્મશાંતિના પગથાર પર દઢતાથી ટકી રહેવાનું બળ આપની વરકૃપાથી આ તુચ્છ સેવક - પામર જીવને પ્રાપ્ત થઈ રહ્યું છે. | ચિંતન – મનનનાં અનેક અદ્ભુત સત્યો સાક્ષાત અનુભવી જીવનને ધન્ય-કૃતાર્થ અનુભવી રહ્યો છું. સ્વકલ્યાણની નિષ્ઠાએ પર-કલ્યાણ સ્વત: થવા પામે છે. કરવાની વૃત્તિઓ હવે સમી ગઈ છે. પરમેષ્ઠીઓની આજ્ઞા એ જીવનના મહામંત્ર બની રહ્યો છે. કાંઈ ઈચ્છા જેવું હવે રહ્યું નથી. સંસારની ઘટમાળ દયિક ભાવજન્ય હર્ષ-શોક કે રાગદ્વેષ ઊપજાવી શકતી નથી. સંયમનો અપૂર્વ આનંદ - અનુત્તર વિમાનવાસીઓને પણ રાંકતુલ્ય ભાસે તેવી અજબ મસ્તીની ઝાંખી થવા પામી છે. તે પરમેષ્ઠીઓનો અને આપ જેવા ગુરુ ભગવંતોનો પુણ્યપ્રતાપ છે. નિરાસક્તભાવ - સ્થિતપ્રજ્ઞતા અને વૃત્તિગત ધીરતા હવે સુસ્પષ્ટ રીતે જીવનના પ્રત્યેક ચકમાં પરોવાઈ જતી અનુભવાય છે. બાહ્ય દષ્ટિએ કદાચ મારી આસપાસ અનેક પ્રવૃત્તિઓનાં જાળાં તાણાંવાણાંની માફક વળગેલાં કે વણાયેલાં દેખાય પણ અંદર ભેદજ્ઞાનની રેખાની ઉપરવટ વૃત્તિઓ જવા સાહસ નથી કરતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy