________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વકા
૧૫
થતાં જ, પાસે બેસતાં જ અસાર સળગતા સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિ બધું ભુલાઈ જતું. ભણેલા, એન્જિનિયર, ડૉકટર થયેલ વ્યકિતઓના ઉદ્દગારો હતા કે એમની પાસે જવાથી, બેસવાથી અમને સાહજિક શાંતિ અનુભવાય છે. આરાધનાના પગથાળેથી આગળ વિકાસ કરનાર આત્મા પહેલાં પોતે શાંતિ અનુભવે છે, અને પછી તેની નજીક આવનારને સાહજિક સુખ-શાંતિ મળે તેવી પ્રવૃત્તિ થાય. અને આ વસ્તુને ખૂબ આગળ વધારીએ તો તીર્થંકર પરમાત્માની પાસે ૫૦૦ ગાઉની આજુબાજુમાં લડાઈ – ઝઘડા, શોક – રોગ, દુકાળ - અતિવૃષ્ટિ કશું ન થાય, ન બને, તે અનુભૂતિથી સમજી શકાય. બાકી આવા અનુભવ વગર તીર્થંકર પરમાત્માની આવી વાતો ખાલી બુદ્ધિનો વિલાસ કે શ્રદ્ધાનો જ વિષય બની રહે.
પ્રાચીન પરંપરા અનુસાર તેઓ શિષ્ય-આરાધકની અવારનવાર કસોટી પણ કરતા, જેનો સામી વ્યકિતને ખ્યાલ પણ ન આવે.
દૂર જંગલમાં કે હિમાલય જેવા પર્વતની ગુફામાં દિવસોના દિવસો બેસીને કુદરત સાથે ઐકય સાધતાં જે આંતરિક શક્તિઓ ખીલે તેના કરતાં પણ વધારે શક્તિઓ પૂગુરુદેવશ્રીએ અહીં જ બધી જ જાતનો વ્યવહાર, જવાબદારી સાચવીને મહામંત્રની સાધના દ્વારા આત્મસાત્ કરી. એતલવારની ધાર પર ચાલવા જેવું કઠિન કામ ગણાય. આજુબાજુના લોકો ગમે તેમ સમજે છતાં ધ્યેયથી ચલિત થયા વગર સાધના-માર્ગની કેડીએ ખૂબ-ખૂબ આગળ વધ્યા. અને ભયંકર કસોટીઓમાંથી પાર ઊતર્યા. તે અન્યને આશ્ચર્યકારક છતાં શ્રી નવકારની આરાધના બળે જ પૂ. ગુરુદેવને સહજ સાધ્ય બનેલ.
પૂ. ગુરુદેવશ્રીને શ્રી નવકારની કૃપાથી આરાધનાના સમયે આરાધકના શરીરના અંદરના ભાગો પણ દેખાતા. તેની નાડી વાત-કફ-પિત્તમાંથી શેના વિકારવાની છે, તેનો ખ્યાલ આવતો. સુષુષ્ણા નાડીની જાગ્રત અવસ્થામાં અન્યને વળગેલા દોષો સ્પષ્ટ રીતે જોઈ શકતા, અને તેને કેવી રીતે જલદી હઠાવી શકાય તે માટે શ્રી નવકારનો જાપાદિ આપતા.
ઉચ્ચનો શનિ અને સ્વગૃહી ગુરુ લઈને જન્મેલા પૂગુરુદેવનું જીવન સાધનાના માર્ગે ખૂબ મુરુષાર્થવાળું હતું. સાધક-જીવનની ઉત્તરોત્તર જુદી જુદી ભૂમિકાઓ દ્વારા ખૂબ જ પુરુષાર્થ કરીને આરાધનાની સીડીઓ પસાર કરેલી.
શ્રી નવકારનો આરાધક પોતે જે કાંઈ મેળવે છે તે બધું શ્રી નવકારની કૃપાથી મેળવ્યું છે, અને જે કાંઈ તૂટી રહે છે, તેમાં પોતાની આરાધનાની ખામી સમજે છે. આ પત્રમાળામાં ઘણા પ્રસંગે આ હકીકત સ્વાભાવિક રીતે ઊપસી આવે છે. પૂ. ગુરુદેવશ્રીના અહમ-મમ ભાવનું વિસર્જન આ પત્રમાળામાં ઊડીને આંખે વળગે છે.
પૂ. ગુરુદેવ શ્રી નિશાળમાં નહીં ગયેલ, સામાન્ય અંગ્રેજી સમજી શકે, પણ બોલી “ન' શકે પણ શ્રી નવકારના ટી. વી. માં ભારે અંગ્રેજી શબ્દોના સંદેશા અર્થસભર ઝીલ્યા છે, તે અનુભવ્યું છે અને જોયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org