________________
98
પૂજ્યશ્રીને શ્રી નવકાર એ જાદુઈ દર્પણરૂપે અથવા T.V. સમાન હતો કે જેનાથી બની રહેલ ઘટનાનાં તેમને દર્શન થતાં. અમે ઘણી વાર એ અનુભવ્યું છે કે અમારી આરાધનાની ઉતાર – ચઢાવની રોજબરોજની ગતિવિધિનો શ્રી નવકારના T.V. દ્વારા દૂર બેઠાં પણ તેઓશ્રીને સ્પષ્ટ ખ્યાલ આવતો.
શ્રી નવકાર એ ટેલિફોન છે. અમોએ એ અનુભવ્યું છે કે જ્યારે અમારો જાપ સમય – સંખ્યા સ્થાનની ચોકસાઈથી અખંડિત રીતે થતો ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના નવકાર મંદિરમાં તેની રીંગ-ઘંટડી પૂજ્ય ગુરુદેવશ્રીને સંભળાતી.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
2
પૂ ગુરુદેવશ્રી કહેતા કે શ્રી નવકારના જાપની સંખ્યા એ જ મૂડી છે. આંખો મીંચીને શકય તેટલો વધુ સંખ્યાનો જાપનો સંચય કરો. જેથી આગળનાં દ્વાર સહેલાઈથી સહજ રીતે ખૂલે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી પોતે કોરી સ્લેટ જેવા નિર્મળ, બાળક સાથે હોય ત્યારે નિર્દોષ બાળક જેવા સાહજિક આનંદ રૂપ. પરંતુ એ જ બાળકને જેમ જમાનાનો પવન લાગતો થઈ જાય તેમ પૂજ્યશ્રીને તેનાં મુખ અને શરીર પર નિર્મળતા અને સાત્ત્વિકતા ઓછી થતી દેખાય અને પૂજ્યશ્રી પણ મર્યાદિત થઈ જાય. પોતાના માટે ખૂબ કઠોર એવા ગુરુદેવ બીજાનાં દુ:ખ જોઈ દ્રવી જતા અને આવનાર આત્માને આશ્વાસન સાથે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ વિશિષ્ટ રીતે કરવા સૂચવતા.
ભારતીય આર્યસંસ્કૃતિના પરમ ચાહક પૂજ્ય શ્રી પ્રાચીન પરંપરાને પરખવાની દૃષ્ટિવાળા હતા. અને તેથી જ સમયનો અભાવ હોવા છતાં પ્રાચીન હસ્તલિખિત પ્રતો કે પ્રાચીન ભંડારો કે પ્રાચીન કોઈ પણ સાહિત્ય મળતાં તેઓશ્રી બધું ભૂલી જઈને તેમાં ખોવાઈ જતા અને તેમાંથી નવનીત જેવો સાર તારવી લેતા.
શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના બળે રાજયોગ માર્ગના પ્રવાસીઓને(સાધકો)ને થતા જુદા-જુદા અનુભવો જેવા કે ષટ્ચક્રભેદન, કુંડળીનું ઉત્થાન, અનાહતનાદનો દિવ્ય રણકાર અને અજપાજપની અદ્ભુત ભૂમિકા પૂ શ્રીએ ખૂબ જ અલ્પ સમયમાં મેળવેલી.
શ્રી નવકાર મહામંત્રની આરાધનાના બળે રાજયોગ માર્ગનાં, હઠયોગ માર્ગનાં, અને માંત્રિક માર્ગનાં અનેક રહસ્યો તેમજ શરીરનાં ભિન્ન-ભિન્ન શકિત કેંદ્રોનું ઊંડું જ્ઞાન તેમની પાસે હતું. તેઓશ્રી જ્યારે નમસ્કાર મહામંત્રની આરાધનાની રૂમમાં હોય ત્યારે ઘણી દિવ્યશક્તિઓનો તેમને સાક્ષાત્કાર થતો. તે સમયે જો કોઈ વાસક્ષેપ નંખાવવાને આવી જાય તો તે પુણ્યશાળી આરાધકને તેની દિવ્ય ઝણઝણાટી રોમેરોમમાં અનુભવાતી.
Jain Education International
અધ્યાત્મ માર્ગમાં સામાન્ય રીતે ગુરુ શિષ્યનું યોગક્ષેમ કરે. ગુરુને શરણે આવનાર, ગુરુ આજ્ઞાને સમર્પિત થનાર શિષ્યની જવાબદારી ગુરુના શિરે રહેતી. તે જ પ્રાચીન પરંપરાની અનુભૂતિ અહીં અનુભવવા મળતી.
ગુરુના શરણે જતાં આહ્લાદિક, માનસિક, શાંતિનો સાહજિક અનુભવ થતો. તેમનાં દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org