________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પૂજ્યશ્રીએ પત્રમાં પણ જણાવેલ છે કે, તેઓએ જુદા જુદા મંત્રજાપ દ્વારા અધિષ્ઠાયક દેવતાનાં દર્શન ખૂબ કર્યાં, છતાં કોઈ મંત્ર ‘શ્રી નવકાર-મહામંત્ર’ની તોલે ન જ આવે.
સામાન્ય રીતે લોકો માને છે કે મંત્ર બોલવામાં જેટલો અઘરો કિલષ્ટ, તેટલો વધુ પાવરફુલ અને તેથી જ જુદા જુદા મંત્રાક્ષરો શ્રી નવકારના પદોની આજુબાજુ જોડવા પ્રેરાય છે, પણ પૂ॰ ગુરુદેવશ્રી કહેતા કે શ્રી નવકાર મહામંત્ર એ બધા મંત્રોનું મૂળ છે છતાં તે સીધોસાદો લાગે છે, તે જ તેની આગવી વિશેષતા છે. અને જગતના અન્ય સર્વમંત્રો એક પલ્લામાં અને શ્રી નવકાર બીજા પલ્લામાં મૂકો તો શ્રી નવકારનું પલ્લું નમે.
23
કારણ કે શ્રી નવકાર એ આત્મશુદ્ધિનો મંત્ર છે. કોઈ પણ વ્યકિત બિલકુલ ભાવ વગર શ્રી નવકાર ગણવાની શરૂઆત કરે તો પણ તેનો બેડો પાર થવાનો છે. (જે અન્ય કોઈ પણ મંત્ર દ્વારા શકય નથી.)
આવા શ્રી નવકાર મંત્રની આરાધનામાં પૂ. ગુરુદેવશ્રી એવા તન્મય બન્યા એવા ઓતપ્રોત બન્યા કે જુદી જુદી રીતના શ્રી નવકારના પટોની અંત:સ્ફુરણા થવા પામી અને પટોની નીચે જુદાં જુદાં ટૂંકાં ટચ પણ ખૂબ જ માર્મિક વાકયો લખ્યાં, જેમાંથી પાંચ શ્રી નવકારનાં ચિત્રપટ અહીં આપવા કોશિશ કરી છે. પૂ ગુરુદેવશ્રી પ્રતિ અનન્ય ભકિતભાવ ધરાવનાર તેમના પટ્ટધર શિષ્ય પૂ આ શ્રી અશોકસાગર સ્॰ જી મ૰એ ગુરુમંદિરમાં શ્રી જંબૂદ્વીપ પાલીતાણામાં શ્રી નવકારના વિશિષ્ટ પટ્ટો દર્શનાર્થે મૂકયા છે.
-
પૂ ગુરુદેવશ્રીની ખાસ વિશેષતા એ હતી કે શ્રી નવકારના અક્ષરોમાં લીટીમાં કર્યાંય ફેરફાર સહેજ પણ ચાલે નહીં. મૂળભૂત - શાસ્ત્રમાં વર્ણવેલ તે જ રીતે લખાવતા. તેના બંધારણમાં કયાંય ફેરફાર તેમને પસંદ પડતો નહીં. શ્રી નવકારના પટ અને મંગલ જ્યોત તેમની આગવી વિશેષતા હતી. મંગલજ્યોતની ઘણી બધી આવૃત્તિઓ છપાઈ. હૈયામાં ભાવ એ જ હતો કે વર્ણયોગના માધ્યમે શ્રી નવકાર આંખમાંથી માનસપટ અને હૈયામાં સીધે સીધો ઊતરી જાય. જેટલું તેના અક્ષરોનું આલંબન વધારે, તેટલી આત્મશુદ્ધિનું બળ વધારે મળે.
પૂ॰ ગુરુદેવશ્રીએ સ્વાનુભવથી શ્રી નવકારને આજનાં ભૌતિક સાધનો દ્વારા જુદી જુદી ઉપમાઓ આપી યથાર્થ રીતે શ્રી નવકારની શકિતનું દર્શન કરાવ્યું છે.
Jain Education International
શ્રી નવકાર એ શાશ્વત પાવરહાઉસ છે જેમાંથી વિદ્યુત્-શકિત પ્રકાશ મળે. પૂ. ગુરુદેવને તેમાંથી ખૂબ શારીરિક, માનસિક શકિત મળતી, આઠ-આઠ કલાકોની વાંચનાનો શારીરિક શ્રમ નવકારના પાવરહાઉસમાં બેસતા અને આપોઆપ દૂર થઈ જતો. શરીર શક્તિ અને તાજગી અનુભવતું અને આપણે પણ જો નવકાર આરાધના રૂપ વાયર જોડવા પ્રયત્ન કરીએ તો નવકાર એ સાચો શાશ્વત પાવર હાઉસ છે તેવું અનુભવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org