________________
9
આનંદવિભોર બની ગયા. મનમાં થયું આવી માંદગી અને છેલ્લી અવસ્થામાં પણ આવો ઉત્કૃષ્ટ ઉપયોગ. અને સાહજિક રીતે તેમનાં ચરણોમાં ઝૂકી પડ્યા. આગમોદ્વારક આચાર્યદેવશ્રીને પણ આટલી નાની ઉમરમાં આ સાધુને એક આગમિક શબ્દના અર્થ માટેની અદ્ભુત તાલાવેલી - ચિંતા અને તે માટેનો પુરુષાર્થ દેખી અંતરમાં સદ્ભાવ જાગ્યો.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પૂ આગમોદ્ધારકશ્રીનો પૂ. ગુરુદેવશ્રી સાથે આત્મિક સંબંધ પૂ. આગમોદ્વારક આચાર્યદેવશ્રીના કાળધર્મ બાદ ખૂબ વિસ્તરતો ચાલ્યો.પૂ ગુરુદેવશ્રીની જીવન નૌકાનું સુકાન આગમોદ્વારકશ્રીના હાથમાં હતું. પૂ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની અનન્ય કૃપા પૂ. ગુરુદેવ શ્રી પર વરસી, જેના કારણે આગમિક પદાર્થોનાં રહસ્યો પૂ ગુરુદેવશ્રી આગળ સાહજિક રીતે સ્પષ્ટ થવા માંડ્યાં. વ્યાવહારિક રીતે અતિ બુદ્ધિશાળી વ્યકિત પણ જિન-આગમનાં રહસ્યનો તાગ સ્થૂળ બુદ્ધિથી પામી ન શકે. (ખાલી વાણીવિલાસ કરીને બુદ્ધિની કસરત બતાડી શકે) તે ગુરુકૃપાથી સાહજિક બન્યો. પરિણામે જિનઆગમરૂપી રત્નોના દિવ્ય નિધાનની પ્રાપ્તિ થયા પછી એને જોયા કરવાનું, જાણ્યા કરવાનું, અનુભવ્યા કરવાનું જ મન થાય એવી સ્થિતિ પૂ॰ ગુરુદેવજીની થઈ.
આધ્યાત્મિક જગતમાં ગુરુ-શિષ્યને સ્થૂળ વાણીથી જ જ્ઞાન નથી આપતા. ગુરુ દૂર હોય પણ ગુરુના ભાવ, વાત્સલ્યભર્યા ચેતનાના પ્રવાહની અસર, અધિકારી શિષ્યના સુયોગ્ય ભક્તિશ્રદ્ધાથી ભરપૂર માનસ પર થવા પામે છે.
જ્ઞાનની વિશિષ્ટ ભૂમિકાનું સર્જન તો ભાવકરુણાથી ઓતપ્રોત સદ્ગુરુના અંતરમાંથી સતત વહેતી વિચારોની સૂક્ષ્મ ધારા રૂપ જળના છંટકાવથી અધિકારી શિષ્યના હૈયામાં થાય છે. એટલે અનુભવજ્ઞાનને ઉપજાવનાર અદ્ભુત જ્ઞાનની વાડી ખીલી ઊઠે છે.
મુમુક્ષુ અધિકારી અર્થી પુણ્યાત્માએ સદ્ગુરુની સતત વહેતી ભાવ- કરુણાની ધારાને ઝીલવા માટે પાત્રતાવાળું પોતાનું અંતર જિજ્ઞાસા વિનય, સમર્પણભાવ આદિથી કેળવીને તૈયાર રાખવું જોઈએ.
પૂ. ગુરુદેવશ્રીએ આજ રીતે પૂ. આગમોદ્વારક શ્રીજીની, પોતાના ગુરુદેવશ્રી ઉપાધ્યાયજી મની, તેમજ પૂ. પંન્યાસજી મની કૃપા હરહંમેશ અનુભવી અને તેમના જીવનમાં જ્ઞાનયોગ, ક્રિયાયોગ, અને ભક્તિયોગનો ત્રિવેણી સંગમ પૂર્ણ અધ્યાત્મયોગ એક સાથે અનુભવાયો.
પૂરુ ગુરુદેવશ્રી બાળક જેવા નિર્દોષ અને સરળ હતા, યુવાન જેવા ઉત્સાહી અને તરવરાટભર્યા હતા અને વૃદ્ધ જેવા જ્ઞાની ગંભીર હતા.
પૂર્વની જબરજસ્ત પુણ્યાઈએ આવા મહાપુરુષોનો સંપર્ક થઈ ગયો, અને દર્શન થઈ ગયાં, કારણ કે આત્માની વિવિધ રૂપે પ્રાકૃતિક અનુભૂતિ કરવાવાળા આત્મા કવચિદ્ જ જોવા મળે છે. શબ્દોના સાથિયા પૂરવાવાળા ઘણા મળે છે. બધી માહિતી ભેગી કરીને Ph.D. કરવાવાળા પણ ઘણા મળે છે પણ આ કાળમાં આત્માનુભૂતિ કરનાર કરાવનાર ખૂટે છે. આત્માનુભૂતિ કરાવનારો રણકાર પરમાત્માની આજ્ઞા - વચનો ઉપર જડબેસલાક શ્રદ્ધા અને વિશ્વાસ જાગે ત્યારે જ અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org