________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પાલીમાં લાઈનસર હાજર થઈ ૨૪ કલાક મિલ ચાલે અને રોજની હજારોની આવક શેઠને થાય.
એટલે શ્રી નવકારનો આરાધક સંસારના પદાર્થો માટે યોગ્ય પુરુષાર્થ-સર્વિસ-વેપાર આદિનો કરે, પણ ખરેખર તો શ્રી નવકારનો જાપ, સ્વદ્રવ્યથી વીતરાગની પૂજા (અષ્ટપ્રકારી), સામાયિક, અભક્ષ્ય ત્યાગ, સ્વાધ્યાય આદિ સત્ પુરુષાર્થથી પુણ્ય વધારવા પ્રયત્ન કરે. જોકે પુણ્ય માટે નવકારનો જાપ કે પૂજા આદિ ધર્મ નથી. જાપ અને ધર્મક્રિયા આપણા આત્માની શુદ્ધિ માટે છે, પણ શરૂની પ્રાથમિક અવસ્થામાં ક્રમિક પગથિયારૂપે વિચારોને પલટાવવા વિચારવાનું છે.
૧૮૨
છેવટે તો નિર્જરા
=
કર્મોના બંધનમાંથી છૂટવાનું જ ધ્યેય રાખવાનું છે. પણ અત્યારે તમે જે સ્થિતિએ છો, શ્રી નવકારના શરણે આવ્યા પછી તમારી મનોવૃત્તિમાં મુડ નથીની વાત હજી ઘૂમ્યા કરે છે, તેનું કારણ શું ?
દુનિયાના પદાર્થોને મેળવવા પુરુષાર્થની કિંમત જેટલી સમજાઈ છે. તેટલી દુનિયાના પદાર્થોને મેળવી આપનાર પુણ્યનું સર્જન આ જાપ અને પૂજા આદિ ધર્મક્રિયાથી થાય છે. આ વાત હજી સ્પષ્ટ
સમજાઈ નથી.
તેથી આ પત્રમાં આ વાત પર ભાર મૂકયો છે કે દુનિયાના પદાર્થો મેળવવા માટે કરાતા પુરુષાર્થની સફ્ળતાનો આધાર શ્રી નવકારના સવારે વહેલા ઊઠી ના કલાક સ્થિરતાપૂર્વક કરાતા જપ ઉપર અને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા અભક્ષ્ય ત્યાગ આદિ પર છે, કેમ કે આનાથી પુણ્યનું સર્જન થાય છે, તેનાથી વ્યવહારમાં સફળતા આપોઆપ મળે છે. આ વાત પર ખૂબ ગંભીરપણે વિચારશો.
כה
-
Jain Education International
૯૧
જૈન આગમ મંદિર, પાલીતાણા
૧૪-૬-૮૪
અનાદિકાળની આપણી વાસનાઓ, સંસ્કારો અને તેને લઈને થતી ભોગ પ્રવૃત્તિઓના દબાણને હડસેલી શ્રી નવકાર માના આંચલને પકડી રાખવું હકીકતમાં દુષ્કર કાર્ય છે.
તી
તેને સરળ બનાવવા વિકારી વાસનાઓ અને તેની પ્રવૃત્તિને સક્રિય બનાવનાર મોહના તત્ત્વને ઢીલું પાડનાર શ્રી નવકાર મહામંત્રના અનંતાનંત શકિત સભર દિવ્ય ૬૮ વર્ણો છે તેની આકૃતિ પર
For Private & Personal Use Only
www.jainelibrary.org