________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૧૮૩
ધ્યાન રાખવા સાથે નિયત સ્થાન - સમયની મર્યાદા સાથે કરાતો જાપ એ અચૂક ઉપાય છે.
જ્યારે નાનું ધાવણું કે અબોધ બાળક ગભરાય અને મૂંઝાય કે તુરત ભેંકડો તાણવાના કે રોવાના માધ્યમથી પોતાની વાત્સલ્યમયી માનું ધ્યાન ખેંચે છે. જો કે માતાનું મન પોતાના અબોધ શિશુ-બાળક તરફ વળેલું જ હોય, પણ કામકાજમાં પરોવાઈ કદાચ બેધ્યાન થઈ જાય તો બાળક રોવાના માધ્યમથી માતાનું ધ્યાન ખેંચે છે.
તે રીતે શ્રી નવકાર માતા સંપૂર્ણ રીતે આપણા જેવા અબોધ, પામર આત્માઓ માટે ક્ષાયિક (કદી ન ખૂટે તેવી) અપાર કરુણા રસથી ભરપૂર હૈયાવાળી હોય, પણ આપણે તે શ્રી નવકારમાતાને તેની આજ્ઞા - જપયોગ - શરણાગતિ આદિના પાલન દ્વારા પૂર્ણ રીતે સમર્પિત ન રહીએ તો અંતરનો પોકાર શ્રી નવકાર માતાના કાન સુધી ન પહોંચે.
માટે તમે બધા એક સ્પષ્ટ નિર્ધાર કરી રાખો કે શ્રી નવકાર માતાના ખોળે શરણાગતિ – તેની આજ્ઞાનું પાલન અને નિયત સમયે જાપ દ્વારા બેસાય તો સઘળી ઉપાધિઓ હટી જાય.
અંતરની ચિત્તવૃત્તિનો આધાર આપણી નિષ્ઠા સાથે સંકળાયેલ છે. વિચારોની દઢતાથી નિષ્ઠા વધુ કેળવાય છે. એટલે વિચારોને સુવ્યવસ્થિતપણે ટકાવી રાખવા આહાર, વિહારની શુદ્ધિ સાથે યોગ્ય ધાર્મિક વાંચન વધારવાની જરૂર છે. શ્રુત સામાયિક કરી રોજ ૧૦-૧૫ મિનિટ જરૂર શ્રી નવકાર અંગેનું કે આધ્યાત્મિક સાહિત્ય વાંચવું.
આનાથી વૃત્તિઓમાં બાહ્યપ્રવૃત્તિના કારણે આવેલ ચંચલતા ઘટશે. આનાથી જાપમાં પણ બળ મળશે. આવા જાપથી અંતરનું સમર્પણ ખૂબ પ્રબળ થશે.
માટે જરૂરથી તમે સમર્પણ ભાવથી શ્રી નવકાર માની ગોદમાં બેસવા પ્રયત્ન કરશો. તેનાથી જાપમાં બળ ઘણું વધશે. સમર્પણ ભાવનો વધારો થયાની નિશાની જાપ વખતે ચિંતા - વિચારોનું દબાણ ઘટે. માટે શ્રી નવકારના સાહિત્યના વાંચન માટે જરૂર પ્રયત્નશીલ બનશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org