________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧૭૭
ન જોઈએ.
આટલી જ રૂપરેખાથી તમો નેગેટિવ - પોઝિટિવ બને એપ્રોચથી શ્રી નવકારને આરાધી શકો છો અને તમો આ પંથે યથાશક્ય ચાલવા પ્રયત્નશીલ છો જ! થોડો પ્રમાદ અને સંસારી ઉપાધિઓના નામે માનસિક દુર્બલતાની ઓથે વિકારોનું પોષણ થવા પામે છે. તે દૂર કરવા તમારે સજાગ બનવાની ખાસ જરૂર છે.
તમારામાં શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ, સમર્પણ અને નિષ્ઠા આ પાંચેય બાબતોનો યથાયોગ્ય સુમેળ છે. તમે સહુ પોત-પોતાના અંતરને તપાસી જુઓ. આ પાંચ બાબતોનો વિકાસ કોનામાં કેટલો ખૂટે છે!
શ્રી નવકારની કરુણાના સતત વરસી રહેલા વરસાદનો લાભ આ પાંચ બાબતો દ્વારા આપણે ઝીલી શકીએ છીએ. તમે આ અંગે થોડું આત્મ – નિરીક્ષણ – ઊંડું ચિંતન જરૂર કરશો.
શ્રી નવકારનો દિવ્ય સાથ તમારા પર અખૂટ કૃપાનો ઝરો વહેવડાવશે, એમાં કોઈ શંકા નથી.
८८
જૈન આગમ મંદિર, પાલીતાણા
૨૦-૫-૮૪ શ્રી નવકારના જાપનું પ્રાથમિક ફળ માનસિક શાંતિ છે. માનસિક શાંતિ બુદ્ધિનો ઘોંઘાટ, વિચારોનું ડોળાણ જે લક્ષ્યહીનતા અને અણસમજમાંથી ઊપજે છે, તે બન્ને સ્થગિત થઈ જાય. કેમ કે શ્રી નવકારના જાપના બળે જગતમાં મેળવવા લાયક ખરેખર પરમેષ્ઠીઓની આજ્ઞાને સન્મુખ થવા સિવાય બીજું કશું નથી.
પરમેષ્ઠીઓની આજ્ઞા શી છે? હે ભાઈઓ! અમે આ સંસારના કીચડમાં તમારી જેમ રગદોળાયેલા હતા, પણ આ પરમેષ્ઠીઓ નવકાર રૂપે મળ્યા કે સમજાયું, આપણા ખરા નિ:સ્વાર્થ હિતેચ્છુ પરમોપકારી સજજનો આ પરમેષ્ઠીઓ છે, એવું સમજાયાથી તેઓની આજ્ઞા, (પુદ્ગલનો પરિચય - સંપર્ક – મોહ – વાસના – પકડ આદિ ઘટાડવાની તાલીમ) તેઓની શરણાગતિ સ્વીકારી લીધી તો આજે અમે પરમેષ્ઠી રૂપ પૂજનીય બન્યા છીએ. તેમ તમે પણ પુદગલના મોહની પકડમાંથી શ્રી નવકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org