________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
વર્ણયોગાત્મક જાપ (નિયત - સ્થાન સમય સંખ્યાની મર્યાદા)ના બળે છૂટો તો તમે પણ અમારા જેવા બનો.
૧૭૮
આવો શ્રી નવકારનો રણકાર નવકારના એકેક પદે પદે! તેના એકેક અક્ષરે ગુંજી રહ્યો છે, તેને આપણે સાંભળીયે તો આપણે અત્યારે પુદ્ગલના રાગના નાચમાં ઘડીકમાં ધન, ઘડીકમાં સ્ત્રી, ઘડીકમાં પુત્ર, ઘડીકમાં મકાન, ઘડીકમાં કીર્તિ-નામના આમ જાતજાતના વળાંકોમાં શકિત વેડફી રહ્યા છીએ. આ લક્ષ્યહીનતા ઘટે-શમે અને આપણા હૈયામાં ટાઢક વળે. આ જગતમાં મારા જીવનને ઊંચું લાવવા અધોગામી પુદ્ગલ = જડ પદાર્થોની પ્રીતિ-ભાઈબંધી છોડવી જ રહી.
બીજું, શ્રી નવકારના જાપ બળે માનસિક શાંતિ એ રીતે ખૂબ નકકર થાય કે દુન્યવી વ્યવહાર કાર્યોની ઘટમાળ ડુંગળીનાં છોતરાંનાં પડની જેમ પુણ્યની ખામીએ ઉકેલતાં આરો જ નથી આવતો.
હકીકતમાં જગતનાં બધા વ્યવહારુ કામો પુણ્યને આધીન છે. પુરુષાર્થ ન કરવો એમ નહીં, પણ પ્રધાનતા પુણ્યની છે. તો શ્રી નવકારના જાપથી સંસારના સર્વોત્કૃષ્ટ પરમોચ્ચ કક્ષાએ બીરાજેલ પાંચ પરમેષ્ઠીઓને ગુણાનુરાગપૂર્વક હાર્દિક ઉલ્લાસ સાથે કરાતા નમસ્કાર રૂપ શ્રી નવકારનો વિશુદ્ધ વર્ણયોગાત્મક જાપ અત્યંત ઉચ્ચ કોટિના વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના થોક જમાવી દે જેનાથી સંસારના ભૌતિક પદાર્થો એની મેળે સામેથી જરૂર કરતાં વધુ ચાલ્યા આવે. પુરુષાર્થ ગૌણ બની જાય. આપણે પુરુષાર્થ નિયત સ્થાન – સમય – સંખ્યા અને વર્ણયોગાત્મક જાપ - સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા - ભાવપૂજા - સામાયિક અભક્ષ્ય ત્યાગ રાત્રિભોજન ત્યાગ, પવિત્ર વાતાવરણ આદિનો
કરવાનો.
-
આ જાતની સમજણના અભાવે જગતના બાહ્ય ભૌતિક પદાર્થોને મેળવવા પૂજામાં – જાપમાં ગાડી દોડાવી જેમ તેમ પતાવાય. રાત્રિભોજન, અભક્ષ્ય ભોજનની મર્યાદાઓ, નોકરી – પૈસાના નામે ઢીલી થાય. જેનાથી પાપ બંધાય તે પાપ તુરત આપણા પુણ્યના ઉદયમાં આડે આવે.
એટલે તમે કાંતી-વણીને તૈયાર કરો અને આગળ ભૂતકાળનું પુણ્ય ઓછું હોય, જાપ – પૂજાથી પુણ્ય ઊભું કરવા માટે વ્યવસ્થિત મર્યાદાઓ પાળી ન હોય, વધારામાં રાત્રિભોજન આદિથી નવું પાપ ઊભું કર્યું હોય. સરવાળે આપણી ગાડી આગળ સ્ટોપનું પાટિયું કે રેડ સિગ્નલ લાગે.
એટલે ગૂંચવાઈએ અને વધુ દુન્યવી પુરુષાર્થ કરવા કોઈની સિફારસ - લાગવગ – સાઈડ બીઝનેસ આદિનો પ્રબળ-પુરુષાર્થ ઊભો કરીએ, પણ કોડિયામાં પુણ્યનું ઘી કે તેલ જ ન હોય તો નવામાં નવી માચીસ પેટીની કાંડીઓ ઘસવાનો બાહ્ય પુરુષાર્થ શા ખપનો ? થોડી વાર ભડભડાટ અજવાળું થાય, પછી અંધારું.
જ્યારે આવા વખતે પૂજા-સ્વદ્રવ્યથી, શાંતિથી, વિધિથી-જાપ-સ્થાન-સમય-સંખ્યાની મર્યાદાથી અને નેગેટિવ તરીકે અભક્ષ્ય-સિનેમા-ભાઈબંધોનો સહવાસ-લકઝરી ટાઇપ જીવનચર્યા આદિથી નવું પાપ બંધાય તે રેડ સિગ્નલ રૂપે – સામે તેને હઠાવવા પ્રબળ પુણ્યનો પુરવઠો જોઇએ.
શ્રી નવકારના જાપથી આપણા જીવનમાં ઘર કરી ગયેલ અણસમજના પડલ હઠે, પાપના અણજાણ્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org