________________
૧૬૦
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
ટકી જાઓ છો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે.
- તમારે જાપની સાથે શ્રી નવકારના અક્ષરો સામે પ્રથમના પત્રમાં જણાવ્યા પ્રમાણે ૩, ૫, ૭ મિનિટ જોતા રહેવાનો કાર્યક્રમ તમે જરૂર અપનાવો. જેમાં સૌથી શ્રેષ્ઠ સમય સવારે ૬ થી નો, કો'ક કારણસર રહી જાય તો સવારે ૮ થી ૯, છેવટે સાવ રહી જાય તો રાત્રે ૯ થી ૧૦માં જરૂર આ પ્રોગ્રામ કરવો. વળી ગુરુવારે આ કાર્યક્રમ જરૂર કરવો, ભૂલવો નહીં. - તમારા વિચારોની આસપાસ જામતી સંસારી પરિસ્થિતિઓની અસર, વાસનાઓની જંજાળ અને દુન્યવી માયાજાળની અસરો શ્રી નવકારના અક્ષર – ધ્યાનથી ઘટે એ નકકર હકીકત છે.
તમારી આંતરિક ભકિતનો પારો વિશિષ્ટ રીતે તમારી સાધનાના પંથે ચઢતો રહે - તે માટે વર્ણયોગની પદ્ધતિએ નિયમિત જાપ કરવાનો પ્રયત્ન ચાલે છે - તેમાં વ્યવસ્થા અને નિયમિતતા જાળવો એ ખાસ જરૂરી છે.
આંતરિક શ્રદ્ધાના તાર ઝણઝણાટીપૂર્વક તમોને દિવ્યચેતનાના પંથે સંવેદનાના મર્મનો સ્પર્શ કરાવે એ મંગલ કામના.
لن
વડાવલી
૭-૧-૮૪ દેવગુરુકૃપાએ સુખશાંતિ છે.
જીવનશકિતઓને પરમાર્થના સપંથે લાવનારી જીવનસાધના પંચપરમેષ્ઠીઓની ઉપાસનારૂપે શ્રી નવકાર મહામંત્રના માધ્યમે કરવા ભાગ્યશાળી બનવું. એ આજના વર્તમાન મોહ-માયાથી સભર શહેરી વાતાવરણની અસરને માઈનસ કરવા રૂપની હોઈ ખરેખર અનુમોદનાનો વિષય છે.
તમો આ જીવનસાધનાના પંથે જાપના માધ્યમે અવલંબી રહ્યા છો તે ઉત્તમ વાત છે, પણ તે સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, નવકારશી અને રાત્રે, ચઉવિહાર, મહિનામાં ઓછામાં ઓછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org