________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૧૩૮
વહેતા રહેવા જોઈએ. તમારી અંતરંગ સાધનાનું આ અંતરંગ રિઝલ્ટ છે જે આશાસ્પદ છતાં સંતોષકારક - જોઈએ તેવું ન ગણાય.
તમે નિયતસંખ્યા - સમયની જાળવણી – સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી છેવટે જળ – ચંદન - પુષ્પપૂજા તેમજ અભક્ષ્ય આહાર, વિકૃત વાતાવરણનો ત્યાગ અને સદ્વાંચન આદિ બાહ્ય સહકારી તત્ત્વો તરફ બેદરકાર ન બનો એ ખૂબ જ ઈચ્છવા જોગ છે, તમો અત્યારે ખૂબ સજાગ બનો એવી મારી ભાવના છે.
બીજું ખાસ તમે સોમ – ગુરુ - શુક્રવારે જરૂરથી રાત્રે ૮-૩૭ થી ૯-૧૩ દરમ્યાન ભેગા થઈ ત્રણ નવકાર સામૂહિક શુદ્ધ સ્વરે બોલવા પછી ચત્તારિ મંગલનો પાઠ સામૂહિક બોલવો પછી નીચેની ધૂન સોમવારે :૪૧, ગુરુવારે : ૨૭, શુક્રવારે : ૧૨ વાર ધીમા ગંભીર સ્વરે બોલવી.
“જય અરિહંત શ્રી અરિહંત
જય અરિહંત શ્રી અરિહંત” પછી સોમ ૭ ગુરુવારે ૧૨ શુક્રવારે ૨૧ નીચેની ધૂન
“જે સમરે શ્રી નવકાર
તે પામે ભવનો પાર” પછી સોમ - ગુરુવારે ૭ શુક્રવારે ૧૨ વાર નીચેની
જેના મનમાં શ્રી નવકાર
તેને શું કરશે સંસાર” આ કાર્યક્રમ જરૂર બનાવશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org