________________
૧૩૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા
પણ તે વળાંક આપણામાં ઉપરના સંકલ્પ પ્રમાણે સમર્પણભાવનો પૂર્ણવિકાસ કરવાની શકયતા સક્રિય બને ત્યારે ટકયો રહે!
માટે ઉપરના સંકલ્પને શબ્દથી, અર્થથી અને ભાવથી જીવનમાં કેળવવા માટે પ્રયત્નશીલ થશો તો જીવનનું સાચું સ્વરૂપ જાણવા - અનુભવવા મળશે.
આ બધાની ખરી કૂંચી શ્રી નવકારના જાપમાં અને તેની પૃષ્ઠ ભૂમિકામાં ઉપરના સંકલ્પની ખાસ જરૂર છે.
STE
કુણઘેર
૨૯-૧૧-૮૩ શ્રી નવકારના આરાધકને આરાધના માર્ગે શ્રદ્ધા, ભકિતના પાયા મજબૂત ટકાવવા સમર્પણ અને સાચી નિષ્ઠાની ખાસ જરૂર છે.
તમે આરાધનાપંથે ઉમંગથી ચાલો છો તે ખૂબ આનંદની વાત છે. પણ તેના રૂટીન વર્ક જેવું થાય છે – તમો Moodના ભરોસે આરાધનામાં ઢીલા ચાલો છો એમ અહીં શ્રી નવકારના T.V. માં લીલી-પીળી અને વાદળી લાઈટોના ઝાંખાપણાથી ખબર પડે છે. તેમાં પીળી અને વાદળી તેજરેખા ભકિત અને શ્રદ્ધાના પ્રતીકરૂપ છે, પણ લીલી તેજરેખા સમર્પણભાવની છે તે તેજરેખા ઝાંખી થાય ત્યારે જરા DANGER લાલ રેખા કયારેક મને તમારા વિષે ચિંતિત રાખે છે. આ માટે મારી તમોને ખાસ ગંભીર ચેતવણી છે કે Mood ના ભરોસે સાધના માર્ગે ન ચલાય, આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા-ભકિતના સહયોગથી નિયત કરેલ આરાધના માર્ગે તમારે ચાલવા પ્રયત્નશીલ થવું. તમો પુણ્યવાન છો કે તમારી સાધના શ્રી નવકારના T.V. દ્વારા હું જોઈ શકું છું, તમારામાં શ્રી નવકાર અને તેના માધ્યમરૂપે – મારા પ્રતિ ખૂબ અંતરનો ભાવ છે. તે જોડાણમાં તમો હજુ ટકી રહ્યા છો એ ખૂબ આનંદની વાત છે.
તમો શ્રી નવકાર પ્રતિ અંતરથી જોડાણવાળા છો, દુન્યવી ઝંઝટોમાં ફસાયા છતાં શ્રી નવકારને ભૂલતા નથી એ ખૂબ જ અનુમોદનીય બીના છે. પણ શ્રદ્ધા – ભકિતના તાર સાધનાના પંથે ઝણઝણાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org