________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૧૩૭
મારામાં કંઈક મેળવવા માટેની અદમ્ય અતૃપ્ત વાસના સર્વથા તમારી આજ્ઞાના લક્ષ્યથી શાંત થવા પામે, પછી કશા માટે ઝાંપા મારવાનું કે કંઈક મેળવવા માટેની વ્યાકુળતા જેવું મારા જીવનમાં ન રહે એ હકીક્ત સાકાર બને એ મંગળ કામના !!
સમ કે વિષમ સ્થિતિમાં આનંદ માણવાની કે ફરિયાદ કરવાની જગ જૂની મારી ટેવ સદા માટે અસ્ત થાઓ એવી હાર્દિક નમ્ર પ્રાર્થના છે.સદા કામના અને બદલાની આશાના દોરે ચાલતી અમારી વિચારસરણિ અને કાર્યપદ્ધતિ શ્રદ્ધા-નિષ્ઠાના જોરે સમર્પિતભાવ-બિનશરતી શરણાગતિ ભાવ તરફ ઝૂકી જય એ અંતરની કામના !
છેવટે તમારી આજ્ઞાઓને શિરોધાર્ય કરી તે તે આજ્ઞાઓને જીવનમાં સાકાર બનાવવાનું અમારું જીવન લક્ષ્ય જલદી સાકાર બનો! તે દિશામાં દિવસ-રાત અમારી સાધના આગળ વધતી રહે એ પુનિત ભાવના!
તમારી દિવ્ય ચૈતન્યની સહસ્રમુખી ધારામાં મારા જડ જીવનની જામેલી રજ-ધૂળના થરો રોજે રોજ ધોવાઈને નિશેષ બને એવા આશીર્વાદની તમારી પાસેથી આ સેવક અપેક્ષા રાખે છે !
મંગળયાત્રાનો મારો આ પ્રધાનસૂર તારા કાને પહોંચાડવા જપયોગને વર્ણયોગના માધ્યમ દ્વારા અપનાવી રહ્યો છું.
તેમાં સફળ રીતે પાર ઊતરવા તારી પાની ખાસ જરૂર છે. તેનો સતત અથ છું. મારી મંગળયાત્રા તારા નિષ્કારણકૃપા કિરણના ભરોસે જ શરૂ થઈ છે? બાકીનું હવે તું જાણે !!!
આ સંકલ્પ રોજ સવારે વાંચવો જોઈએ રાત્રે જાપ પછી પણ વાંચવો જોઈએ. સવારે ૮ થી ૯માં અગર રાત્રે ૯ થી ૧૦માં વંચાય તો વધુ બળ મળે.
આપણી અંદર રહેલ ચૈતન્ય તત્વ અહંભાવના વિકૃત તત્વથી પોતાની મૌલિક સ્થિતિ તરફ ઝૂકાવના બદલે વિકારી વાસનાઓના ખેંચાણથી કર્મબંધની દિશા તરફ ઝૂકી જાય છે. તે ખૂકાવને અટકાવવા અંતરમાં આ દિવ્ય પ્રાર્થનાનું બળ અક્ષરાત્મક પછી અર્થાત્મક છેવટે ભાવાત્મક રૂપે કેળવીને વધારવાની જરૂર છે.
જાપ એ દિવ્યતત્ત્વ સાથે જોડાણની મેઈન ચાવી છે. પણ તેમાં આવી જાતની દિવ્ય સંકલ્પશકિત ભળે તો મેઈન ચાવીને ફેરવવાનું બળ આપણામાં પ્રગટે છે. પરિણામે ચૈતન્યતત્ત્વના ઉત્તરોત્તર વિકાસ માટે જરૂરી અંતરંગ બળનો ઉમેરો થાય છે.
પરમાત્મતત્વ સાથે આપણી ચેતનાનું જોડાણ આવી દિવ્ય સંકલ્પશકિતના તારથી બહુ વ્યવસ્થિત રીતે થાય છે. તેથી તમારે જપયોગની સાથે આવા દિવ્ય સંકલ્પોના બળને શબ્દાત્મક – અર્થાત્મક છેવટે ભાવાત્મક ભૂમિકાએ કેળવીને પહોંચાડવાની ખાસ જરૂર છે.
આના વિના જાપની શક્તિ આપણામાં વ્યવસ્થિતપણે સક્રિય થઈ શકતી નથી. જાપની શકિત આપણી જીવન શકિતઓને પરમાત્માના વિશુદ્ધ સ્વરૂપ અને આપણા મૌલિક રૂપ તરફ વાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org