________________
૧૩૬
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
તમો શ્રી નવકારની આરાધનાના બળે આધ્યાત્મિક ઉન્નતિનાં દિવ્ય સોપાનો ઉત્તરોત્તર મેળવતા જાઓ એ મંગલ કામના.
લાલ
ચારૂપતીર્થ
૨૯-૧૧-૮૩ શ્રી નવકારના શરણે વૃત્તિઓને લઈ જવા માટે આપણે આ જાતનો સંકલ્પ કરવાની જરૂર છે. આ સંકલ્પથી વૃત્તિઓ શાંત બને છે. અંતરમાં રહેલ વિકારી ભાવો કાબૂમાં આવે છે. શ્રદ્ધામાં સ્થિરતા આવે છે, તેથી નીચેના સંકલ્પને જીવનમાં સચોટપણે ટકાવવા પ્રયત્ન કરવાની જરૂર છે.
અંતરંગ સાધનાની શક્તિને વિકસાવનાર
વિશિષ્ટ સંકલ્પ “હ પરમારાધ્ય શ્રી નવકાર! હે મારા જીવનના ધ્રુવતારક સમા
પંચ પરમેષ્ઠીઓ ” વિચારો, લાગણીઓ અને કાર્યોના મિશ્રણવાળું મારું અસ્તિત્વ ભૂંસવા હું તમારા શરણે આવ્યો છું. તમારી આજ્ઞાના ખીલે મારા વિચારો, લાગણીઓ અને કાયોને બાંધી દેવાનો દઢ સંકલ્પ કરું છું.
તમારી આજ્ઞાને શિરસાવંધ કરી વિચારો, લાગણીઓ અને કાર્યોના મિશ્રણરૂપ મારા અસ્તિત્વને ભૂંસી નાંખવા અને તેમના જાગી છે. મારા સઘળાં કાર્યો મારી બુદ્ધિ, મારી ઈચ્છાઓના પ્રેરક તરીકે અહંકારના બદલે તમારી આજ્ઞાનું બળ મને પ્રાપ્ત થાઓ !
કોઈ પણ કાર્યની સફળતા - નિષ્ફળતામાં મારો અહં પોસાય કે ઘવાય નહીં તે માટે તમારી આજ્ઞાને નિષ્ઠાથી સ્વીકારવા ટીબદ્ધ થયો છું. આવી નિષ્કામ શરણાગતિ માટે ઉચિત યોગ્ય સમજણ અને ભાવવિભોર નમ્રતા મને મળી રહે એ અભ્યર્થના!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org