________________
૧૪૦
શ્રી નમસ્કાર મહામંત્ર તચંદ્રિકા
ગ)
STT
१८
અડીયા
૯-૧૨-૮૩ વિ આરાધના એટલે આપણી અંતરશક્તિઓને આગળ લાવવા માટેની સમ્પ્રવૃત્તિ. તેમાં આપણી અંતરની લક્ષ્યની જાગૃતિ સ્પષ્ટ થવી જરૂરી છે. અંતરની શક્તિઓ ગમે તે દિશામાં વહેવાની તો ખરી! જો લક્ષ્ય સ્પષ્ટ ન હોય તો અનાદિના સંસ્કારોની દિશા તરફ વાસનાના ખેંચાણથી જવાની.
આપણે આપણા જીવનવ્યવહારોને વારંવાર ચકાસતા રહેવું જોઈએ કે અમારી પ્રવૃત્તિઓ વાસનાના ખેંચાણથી સંસ્કારો - લકઝરી વલણ તરફ જઈ રહી છે? કે અંતરની શક્તિઓ મહાપુરુષોએ ચીધેિલા માર્ગે વળી રહી છે! આ અંગેની જાગૃતિ આપણામાં લક્ષ્યની જાગૃતિ ઉપજાવે છે. તમે આ જાતની જાગૃતિના પંથે આરાધનાના બળ વધતા રહો એ મંગળ કામના.
જીવનમાં આરાધનાની તકો વારંવાર મળતી નથી એ વાત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. આવી તકોને યોગ્ય રીતે ઝડપવા માટેની સાવચેતી અંતરને અપૂર્વ ઉન્નતિના પંથે વાળી દે છે.
મારા જીવનમાં આવી તકો અણધારી રીતે બેચાર વાર આવી અને દેવગુરુકૃપાએ તેનો લાભ લેવાઈ ગયો તો આજે ગુરુ મ૦ ની કૃપાથી કંઈક આત્માનંદની મસ્તી માણી રહ્યો છું.
વિ. સં. ૨૦૩ની માહકે ફાગણની વાત.
ઉદયપુર - માલદાસ શેરીના શ્રી અજીતનાથજીના દહેરાસર પાસે ચાંદબાઈ જૈન ધર્મશાળા (જે હાલ ઉપાશ્રય તરીકે વપરાય છે)ના દેરાસર પાસેના હોલમાં ડાબે ખૂણે મારું આસન – વચ્ચે પૂ. ગુરુદેવશ્રીનું પ્રતિષ્ઠા અંગેની કંઈક વાતચીત ચાલતી હતી, કઈ રાશિ પર ભગવાન આવે? પૂ. ગુરુદેવશ્રીએ બે ગામનાં નામ આપ્યાં હતાં. પણ તે કામ હું મારી નોંધપોથી નહીં જડવાથી કરી નહી શકેલ. પ્રાય: સવારનો ૯ થી ૧૦નો સમય હતો. પૂ. ગુરુદેવશ્રી વ્યાખ્યાનમાં હતા. હું જરા ગૂંચમાં હતો, ત્યાં કાનોડના ભગવતીલાલ ચોપરણા (આસિ. કલેકટર) ખાસ અંગત ભકિતવાળા શ્રાવક – તે આવ્યા. સહેજ વાતચીત દરમ્યાન મારી મુશ્કેલી જાણી મને કહે કે, મહારાજ ! એમાં શું? હમણાં લાવી દઉં. એટલું કહો કે તમોને જગ્યા યાદ છે. મેં કહ્યું કે ખ્યાલ નથી. મેં મારી પાસેના દીવાલ પરના કબાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org