________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
૧૨૧
બાકી આપણે ચોપાસ કર્મની સાંકળોથી બંધાયેલા ચેતનાશકિતના વિકાસ આડે મોટી તોતિંગ દીવાલો વચ્ચે જીવનારા અને વિચારોની સૂઝ વિનાના આપણે કયે મઢે મર્દ = હું કંઈક છું એમ કહી શકીએ.
આ રીતે મમ = મારું ગણી શકાય તેવી સામગ્રી પણ આપણે કંઈ મેળવી નથી, જેનાથી આપણી ચેતનાનો વિકાસ સુશકય બને. ઉલટું ચેતના શકિતના અવરોધમાં સહયોગ આપે તેવી ભૌતિક – માયાવી સામગ્રીઓના ખડકલામાં આપણે મમ = મારું ગણાવી શકીએ એવી એક પણ ચીજ નથી.
આ રીતે સમજણપૂર્વક અહંકાર = મમકારના વિસર્જનની આવડત શ્રી નમસ્કારના જાપ દ્વારા પ્રત્યક્ષ થતા પરમેષ્ઠીઓના સ્વરૂપની ચિંતના - વિચારણા અને તેઓની આજ્ઞાના પાલન દ્વારા આવડી જાય.
એ મોટામાં મોટી સિદ્ધિની મુખ્ય ચાવી છે. આવી ચાવી જેમાં સમાઈ છે એવો શ્રી નવકાર જ્યારે આરાધનાએ વિશિષ્ટ રીતે ઊછળતી અને ચઢતી જુવાનીમાં બીજા યુવાનોની અપેક્ષાએ હજાર કે લાખ ગુણા સુંદર વાતાવરણમાં રહેવા પ્રયત્ન કરી જેઓ આત્મવિકાસની કેડીએ ચાલી રહ્યા છે તે હકીકતમાં પરમ સૌભાગ્યની વાત છે.
તેમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા છતાં જે વિશિષ્ટ આત્મસર્મપણ અને શ્રી નવકારની શરણાગતિ મેળવાય છે તે અમુક અપેક્ષાએ વિશિષ્ટ કોટિની છે. એકંદરે મારી અને તમારી સાધનામાં અસરપરસનો સહયોગ ખૂબ ખૂબ ઉપયોગી છે.
આ વખતે પત્રમાં વિષયાંતર જરા થયો. તેથી શ્રી નવકારને પ્રાર્થના કરી ત્રણ બાંધી માળા અત્યારે ગણી તુરત કલમ ચાલી તે આ નોટ પર ચલાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org