________________
૧૨૦
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પ
૧ વાટીએ ૧૦૦
પાલનપુર
૨-૧૧-૮૩ શ્રી નવકારનો આરાધક ખૂબ ઉત્સાહી અને પ્રસન્ન મનવાળો હોય, કેમ કે સઘળી સિદ્ધિઓની મુખ્ય ચાવી (માસ્ટર કી) અહંકારનું વિસર્જન અને મમકારનું વિલીનીકરણ છે.
તે શ્રી નમસ્કારના જાપથી ખૂબ જલદી સધાય છે. પંચપરમેષ્ઠીઓ પોતાના મૌલિક વિશુદ્ધ સ્વરૂપથી જે ઝગી રહ્યા છે. તેમનું જ ખરું અસ્તિત્વ આ જગતમાં છે.
બાકી કર્મોનાં સઘન પડળોમાં છુપાયેલ આત્મ-તેજવાળા, વિકારી વાસનાઓના પૂતળા અને કર્મના દોરીસંચારથી ચેતના પણ લગભગ ગુલામ છે એવા આપણું અસ્તિત્વ જ આ વિશ્વમાં – છે, છતાં નહીંવત્ છે. તો પછી અહંકાર આપણે શી રીતે ધરાવી શકીએ ???
આ રીતે મમ = મારું કહેવાલાયક આપણે શું મેળવ્યું છે ? કે જાળવ્યું છે? આપણી પાસે કે આપણી આજુબાજુ જે છે તે બધું કર્મસત્તાએ આપણા દીનભાવથી ઉપાર્જેલા પુણ્યકર્મના બળે ખડકેલ છે.
આ પુણ્ય ખરેખર આપણી અધોગતિ કે અવરોધક પ્રક્રિયાને હઠાવવા ઉપયોગી બનતું નથી, કારણ કે તેના મૂળ પાયામાં દીનભાવ છે. તે દીનભાવથી સકામ - બુદ્ધિ એ કરેલ અનુકંપા, પૂજા, દાન, દયા, આદિ સત્કર્મોથી આ પુણ્ય ઊભું થયું છે. તેથી બેંક બેલેન્સ હોય ત્યાં સુધી બેંક મેનેજર નાણાં આપવાની ના શી રીતે પાડે! એ રીતે કર્મસત્તા આપણને અનુકૂળ બની નથી, પણ ભૂતકાલીન પુણ્યના જથ્થાથી તેને અનિચ્છાએ પણ સારી સામગ્રી આપવી પડે છે, પણ સાથે જ જાસૂસ જેવા મોહ, વિકારો, અશુભ સંસ્કારોને આપણી આજુબાજુ એવા ગોઠવ્યા છે કે પરિણામે આપણે આ પુણ્યથી આપણી ચેતનાનો ઊર્ધ્વમુખી વિકાસ ના સાધી શકીએ. એવી જળ પ્રપંચભરી બાજી કર્મસત્તાએ ગોઠવી છે એટલે આપણા જીવનમાં આપણી ચેતનાને ગૂંગળાવનાર, આપણી વિકાસ પ્રક્રિયાને અટકાવનાર અને આપણી જીવનયાત્રાને ડોળી નાંખે એવી ભૌતિક સામ્રગી ખડકાઈ છે.
જેને કે આપણે મમ = મારી છે. એમ કહીએ તો આપણે આપણી ચેતના ને અવગણવાના માર્ગને ટેકો આપીએ છીએ તેમ ગણાય.
તેથી હકીકતમાં પંચ પરમેષ્ઠીઓના સુવિશુદ્ધ અને મોહના સંસ્કારોની અસરથી મુકત વિશિષ્ટ જીવન તત્ત્વોનું અસ્તિત્વ મર્દ = હું કંઈક છું એવા ભાવથી પ્રતિપાદિત કરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org