________________
૧૧૮
પછી પૂ. ગચ્છાધિપતિનો
પછી પૂ પં. શ્રી ભદ્રંકર વિ મનો ઉપકાર છે.
વન બાય વન એકે ગોઠવેલી ઈંટ પર બીજાની ઈંટો છે. જો પૂ ગુરુદેવે મને આ સંયમ માર્ગે ચઢાવી અથાગ પ્રયત્ન કરી ખૂબ જ શ્રમ લઈને પથ્થર જેવા મને ઘડ્યો ન હોત તો...!! શું થાત! તે આજના કલુષિત જીવન જોઈ કમકમાટી ઉઠે છે.
આટલી બધી તીવ્ર દેખભાળ છતાં મારામાં અનાદિના સંસ્કારો રહી ગયા છતાં પાછળના ત્રણ મહાપુરુષોએ મને આજે પાંચ માણસમાં પૂછે તેવો બનાવ્યો તે બધો આ મહાપુરુષ ચતુષ્ટયનો પ્રભાવ. વળી નિર્મલકુમારના માધ્યમથી મને આરાધનાની શકિતનો એકડો ઘૂંટવા સ્લેટ મળી ચોખ્ખી નવી નકોર. આ મારી આરાધના શક્તિની વિકાસ કથા છે.
ટૂંકમાં તીવ્ર પુરુષાર્થની ખાસ જરૂર છે, તમે ઉમંગથી પુરુષાર્થની દિશામાં શ્રદ્ધા ભકિત બહુમાન સાથે આગળ વધો એ મંગળ કામના.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
G
Jain Education International
પછ
લી
પાલનપુર
૧-૧૧-૮૩
વિ શ્રી નવકારને આધ્યાત્મિક માતાના રૂપમાં કલ્પી પંચ પરમેષ્ઠીઓની આજ્ઞારૂપ ખોળામાં નિશ્ચિતપણે વૃત્તિઓના સમર્પણની કેળવણી સાથે કરાતા જાપથી નિર્ભરતા - નિશંકતા કેળવાય છે.
For Private & Personal Use Only
-
જે વખતે જે ચીજની આપણા જીવનને વ્યવહારિક - આધ્યાત્મિક રીતે જરૂર હશે તે ચીજ લાવી આપવાની ક્ષમતા શ્રી નવકારમાં છે.. છે.. ને છે જ.
કારણ કે યોગક્ષેમ કરે તે નાથ ગણાય. શ્રી નવકાર અનાથોનો નાથ છે. નાથ એટલે યોગ = જે ચીજ ન હોય તે લાવી આપે.
www.jainelibrary.org