________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આવા ભેગા થયેલા કચરાને જવાનો વખત દુ:ખ કે વિષમ સ્થિતિના અનુભવરૂપે આવે ત્યારે આનંદિત થવું જરૂરી છે કે અમારી ભૂલથી ભેગો થયેલ કચરો હવે વિદાય થઈ રહ્યો છે. તેમાં અણગમો શા માટે? આવી સ્થિતપ્રજ્ઞતા – ગંભીરતા કે વિવેકશીલતા એ શ્રી નવકારની આરાધના કરનારનું ભૂષણ છે.
- જ્યારે આવી વિવેકશીલતા પ્રગટે છે, કે વિકસે છે પછી દુઃખ કે વિષમ સ્થિતિ હળવી બની જાય છે. કેમ કે દુ:ખ સ્વયં એટલું ભારે નથી હોતું પણ આપણી ગેરસમજણ કે નરવસ સિસ્ટમથી દુઃખ ભારે થઈ જાય છે. પણ વિવેકથી દુઃખ કે વિષમ સ્થિતિ કડવી દવાની જેમ અકારું છતાં અંતરથી કર્મના રોગને કાઢનાર છે. આ વાત સમજાઈ જાય એટલે દુઃખ આવકારપાત્ર લાગે, ગમે તેવું ભારે લાગતું દુઃખ પણ સમજણશકિતના પ્રતાપે હળવું થઈ જાય.
આ વિવેકબુદ્ધિની ખામીથી સુખ અને અનુકૂળ પરિસ્થિતિ આપણને હળવાફૂલ જેવી આવકારપાત્ર લાગે છે તે મારા ભૂતકાળનાં શુભકર્મોની સંપત્તિને લૂંટનાર છે, એવી સમજણ થવાથી સુખ ત્યારે અકારું થઈ પડે.
આનું નામ – દુનિયા જે રસ્તે ચાલે તેથી વિપરીત રસ્તે ચાલે તે નવકારનો આરાધક! અર્થાત દુનિયા અવળે રસ્તે છે કે દુઃખમાં ગભરાય, સુખમાં રાજી થાય. ગભરાવા જેવું દુઃખમાં શું છે! અશુભ કર્મનાં બંધનોનું દેવું ચૂકવાય છે, ભાર હળવો થાય છે. તેમાં તો રાજી થવા જેવું, મૂંઝાવાનું કે ગભરાવા જેવું તો સુખમાં છે કે માંડ ભેગી કરેલ પુણ્ય – શુભ કર્મની પૂંજી ખર્ચાઈ રહી છે. વધારામાં પુણ્યના ઉદયે મળેલ શુભ સામગ્રીનો સદુપયોગ ન કરવાના કારણે નવાં અશુભ કર્મોનું દેવું વધી રહ્યું છે. તો દેવું વધે તેમાં રાજી થવા જેવું શું?
આવી પુનિત સમજણ થી નવકારના આરાધકને નિયમિત જાપના બળે જરૂર પ્રગટે જ છે. ન પ્રગટી હોય તો જાપમાં કયાંક ખામી છે એવું અનુભવીઓ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org