________________
થી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા
શ્રી નવકારના આપણે ઉપાસક, એટલે તેનું કહ્યું આપણે કરવાનું, પણ તે કંઈ આપણા નોકર નથી કે, આપણું કહ્યું તે કરે – તે તો સર્વેશ્વર છે, માલિક છે.
અલબત્ત - આપણે આપણી પરિસ્થિતિ રજૂ કરી દઈએ કે આમાં મારી ધીરતા ટકી રહે. સહનશીલતા કેળવાય તેનું ધ્યાન રાખજે - એમ કહી શકાય.
બાકી જૂના બાંધેલ કમની ગાંઠનું કયારેક શ્રી નવકાર દુઃખ - અસાતા વેદનીય આદિથી ઑપરેશન કરતા હોય – તેમાંય આપણું ભલું હોય અને આપણે ના ના કહીયે તો તે આપણા ઉપાસ્ય શ્રી નવકાર - દેવાધિદેવનું કેટલું અપમાન ગણાય !!!
માટે સિદ્ધિનો પાયો બિનશરતી શરણાગતિ છે, તેની કેળવણી એ સિદ્ધિના પરમ શિખરે પહોંચવાની અચૂક ચાવી છે. તમે તે પંથે ખૂબ આગળ વધો – તે માટે શ્રી નવકાર ગણો.
નવકારના જાપ પાછળ – એક પ્રાર્થના કે “આપની આજ્ઞાનું નિબંધ, નિર્વિકલ્પ, ઉમંગપૂર્વક પાલન કરવાની શકિત વિકસો” આ ભાવનાને હૈયામાં પધરાવવાથી જાપનો અપૂર્વ આનંદ અનુભવાશે.
STUF
પાલનપુર
૧૧-૮-૮૩ વિ. શ્રી નવકારની છત્રછાયા તળે તમારી આત્મિક આરાધના સારી ચાલુ હશે.
વિવેક-વિચાર અને સાધનાની ત્રિવેણી છે. જીવનમાં વિરલ આત્માઓ જ આ ત્રિવેણી સંગમ મેળવી શકે છે તમો યથાશય આ ત્રિવેણી સંગમનો લાભ લઈ રહ્યા હશો.
આમાં ગંગા-જમના કરતાં સરસ્વતીનો સંગમ જેમ અદ્દભુત – ગુપ્ત રીતે થાય છે, તેમ વિવેક - વિચારોનું ઘડતર બાહ્ય રીતે થતું હોઈ તે બે કરતાં સરસ્વતીરૂપ સાધનાનું ઘડતર અંતરંગ રીતે થતું હોઈ તેનો સંગમ ગુપ્ત રીતે થાય છે.
તે માટે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. વિચારોનો વિવેક સાથે સંગમ સુલભ છે. પણ સાધનાનો તે બે સાથે મેળ પાડવો ઘણો મુશ્કેલ છે. છતાં દેવગુરુકૃપાએ તે મેળ સરળ થઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org