________________
શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા
૭૯
મેલું કપડું માત્ર ઉજવેલ થવાને લાયક છે. તેમ આપણે આપણા મનની ગમે તે કામનાઓ – માંગણીઓ રજૂ કરીએ પણ તે માટેની પાત્રતાના વિકાસ વિના એકલી આપણી માંગણીઓ કે ઈચ્છાઓથી તે તે વસ્તુની પ્રાપ્તિ ન થાય. આપણે કાંઈ તેવી ઉચ્ચ કક્ષાએ નથી કે સંક૯૫સિદ્ધિના બળે જે ઈચ્છીએ તે મળી જાય. માટે હકીકતમાં તે ચીજની કામની માંગણીના બદલે તે અંગેની પાત્રતાના વિકાસ માટે સતત અભીપ્સા રાખવી જોઈએ, કેમ કે કહ્યું છે કે,
“ન ઉદવાનું અર્થિતાં એતિ,
ન ચ અંભોભિ: ન પૂર્યતે | આત્મા તુ પાત્રતા નેય:
પાત્રમાયાન્તિ સંપદ: | સમુદ્ર કદી કોઈની પાસે ભીખ કે યાચના કરવા જતો નથી કે મને પાણી આપો. છતાં કદી સમુદ્ર પાણીથી ખાલી હોય એવું બનતું નથી. એટલે આપણી જાતને પાત્ર યોગ્ય બનાવવી જોઈએ. પાત્ર – યોગ્ય વ્યકિતને સંપત્તિઓ = મનપસંદ ચીજે એની મેળે આવી રહે છે. એટલે શ્રી નવકાર પાસે કંઈ પણ માંગણી કરવી એ આપણી પાત્રતાની ખામી સૂચવે છે.
ખરી રીતે તો જે પરિસ્થિતિ - હકીકત હોય તે શ્રી નવકાર અંતર્યામી છે. બધી તેને ખબર હોય જ! છતાં ધીરતા ન રહે અથવા આપણી શ્રદ્ધાના વિકાસ માટે બધી પરિસ્થિતિ શ્રી નવકારને કહી દેવી.
જેમ કે પેટમાં દુઃખે છે, માથું દુ:ખે છે, સર્વિસમાં આ મુશ્કેલી છે કે ફલાણી મુશ્કેલી ઊભી થઈ છે આદિ, પણ પછી એનું ડિસીજન - નિર્ણય આપણે આપણી ટૂંકી બુદ્ધિ - ટૂંકા વિચારોથી ન લેવું કે આ મટી જાય કે આનું આમ થઈ જાય તેમ કરી દો એવી મૂર્ખાઈ શ્રી નવકાર આગળ ન કરવી.
આપણે ટૂંકી બુદ્ધિના, એ સર્વજ્ઞ, સર્વદર્શી-અંતર્યામી, તેને આપણા - ભૂત – ભાવી બધાની ખબર છે, જેમાં આપણો વિકાસ ન રૂંધાય તે રીતે તે આપણને દોરવા તૈયાર છે. તો વચ્ચે દોઢ ડહાપણ ન કરવું કે “આમ કરો, તેમ કરો” આપણે ટૂંકી બુદ્ધિથી નિર્ણય લઈએ, જેમ નાનું બચ્ચું. હે ભગવાન! કડવી દવા ન પીવી પડે, ઈન્સેક્ષન લેવું ન પડે તેવું કર, એમ કહે પણ તેના વડીલ - શુભેચ્છક બાળકના ભાવીનો વિચાર કરી પરાણે પણ કડવી દવા પાયા કે ઈજેક્ષન અપાવે તે બાળકને ન ગમે. એટલે શ્રી નવકાર જે રીતે કરે તે આપણને ન ગમે એટલે આપણે ઊંચા - નીચા થઈએ તો આપણી શરણાગતિ ખંડિત થાય. સરંડરશીપ લીધા પછી તે જે કરે તેમાં આપણે ડખલ ન કરવી જોઈએ. નરસિંહ મહેતા, મીરાંબાઈની આવી અતૂટ શરણાગતિ હતી.
બીજું આપણે શ્રી નવકારના ઉપાસક એટલે આજ્ઞાધીન શિષ્ય છીએ. આપણે માત્ર શ્રી નવકારની આજ્ઞાને માન આપવાનું કરવું ઘટે.
પણ આમ કરો ! તેમ કરે ! તેવું દોઢ ડહાપણ ન કરાય, ઊલટું જાણે સર્વજ્ઞ એવા શ્રી નવકારને શિખામણ દેવા બેઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org