________________
૭૦
D
૩૧
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પાલનપુર
વિ શ્રી નવકારનો આરાધક કેવો હોય ? તે પણ જરા ધ્યાનમાં લેવા જેવું છે.
★ જીવનધારામાં અનાદિકાળના સંસ્કારોની પરવશતાથી આવનારા રાગાદિ વિકારો અને વાસનાની ગંદકીને હઠાવવા માટે ભગીરથ પ્રયત્ન જ્ઞાની ગુરુની નિશ્રામાં કરવા મથે તે નવકાર મહામંત્રનો
આરાધક !!!
E
૨૦-૭-૮૩
* જીવનશકિતઓને વિકસ્વર બનાવનારી સદાચારની વૃત્તિઓને અવલંબી જાપ-શકિતઓને સંસારની મોહમાયાના ઉકરડા તરફ જતી અટકાવવા મથે તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક !!!
* અંતરંગ ચેતના શકિતના શણગારરૂપ સત્ય, ધૃતિ, દયા, સંતોષ, નમ્રતા આદિ શણગારોથી અંતરંગ રીતે સુશોભિત રહેવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!!
Jain Education International
★ આપણા ચૈતન્યને દિવ્યપંથે વધવા માટે જરૂરી દિવ્ય શકિતના સ્રોતને મેળવવા તેના અખૂટ ખજાનારૂપ પંચ પરમેષ્ઠીઓ સાથે તેઓની આજ્ઞાના પાલનરૂપે અતૂટ સંપર્ક સ્થાપિત કરવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!!
* વિચારોની આંધી અને અવનતિની ખાઈમાંથી ગબડતા બચાવનાર પંચપરમેષ્ઠીઓના સ્મરણરૂપ જાપના અવલંબને પોતાની જાતને નિર્ભય બનાવવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!!
★ વિચારો અને આચરણ વચ્ચે ઉપેક્ષા-બેદરકારીથી પડેલ ખાઈને યથાશકય જ્ઞાની મહાપુરુષોની નિશ્રાએ વિધિપૂર્વક શાસ્રીય મર્યાદાઓના આગ્રહપૂર્વક દૃઢ પાલનના બળે પૂરવા મથે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!!
For Private & Personal Use Only
★
વારંવાર આત્મનિરીક્ષણ દ્વારા સ્વદોષ દર્શનની સુવ્યવસ્થિત ટેવનો વિકાસ કરી ગુણાનુરાગ દૃષ્ટિ દ્વારા બીજાના નાનાપણ ગુણને ઓળખવા મથામણ કરે તે શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક !!! ★ સંસ્કારોની નાગચૂડમાં ભીંસાઈ ગયેલ મનોવૃત્તિ અને કાયાની સ્થૂલ પ્રવૃત્તિઓને આત્મસમર્પણ, નિખાલસતા અને આજ્ઞાપાલનના બળે છોડાવવા મથામણ કરે તે શ્રી નવકાર મહામંત્રનો
આરાધક !!!
વિચારોની દુનિયામાં ખોવાઈ જવાના પરિણામે અગર વિચારક્ષેત્રમાં મુકત સ્વૈરવિચારથી
www.jainelibrary.org