________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વયંદ્રિકા
પત્રમાળાના ચમકારા...
29
ક
ક
પૂજ્ય ગુરુદેવશ્રીની પત્રમાળા, એની તે વાત શી પૂછવી ? પૂજ્ય ગુરુદેવશ્રીનો પત્ર તો શું ? તેઓશ્રીની નાની સરખી ચબરખી પણ હીરાની પડીકી જેવી કિંમતદાર હોય છે. એ ચબરખીમાં પણ પ્રેરણાના હીરા ચમકતા હોય છે. જ્યારે આ તો આખી જ પરમાળા ! એમાં શું નહિ મળે એ જ સવાલ છે. અસ્મિતા આર્ય સંસ્કૃતિની ચુસ્તતા ચારિત્રજીવનની પૂજ્યતા પૂજાની નિર્મળતા શ્રી નવકારની મહત્તા મોહનીયના ક્ષયોપશમની સરલતા સાધનાની શબ્દ શબ્દ ને વાકયે વાકયે કંઈક ઉપલભ્ય ઉપલબ્ધ થયા વિના નહિ રહે ! કારણ બહુ સ્પષ્ટ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું અધ્યયન ઊંડાણમાં ઊતરેલું હતું. સાધના શિખરે ચઢેલી હતી આરાધના આકાશને આંબેલી હતી. ચિંતન ચાંદનીની સ્પર્ધામાં હતું.
આ બધાંના માધ્યમે પૂજ્યશ્રીના મસ્તિષ્કમાંથી ચિંતનની ધારા ઊભરતી એ કાગળની સપાટી પર પથરાતી રહેતી.... અને પૂજ્યશ્રીના વિશિષ્ટ ભકતોના સરનામે પત્ર દ્વારા સંગ્રહાતી... એ જ પત્રમાળા આજે પુસ્તકની પેટીમાં પેક થઈ જન-જન સુધી પહોંચી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org