________________
પૂ ઉપા૰ મ૰ સા૰ નાં સંસારી પુત્રી, અને પૂ. ગુરુદેવશ્રીનાં બેન મહારાજ તરીકે જાણીતાં ખૂબ ત્યાગી, તપસ્વી, ચુસ્ત સામાચારીપૂર્વકનું સાધ્વીજી જીવનનું પાલન કરતાં પૂર્વ સુલસાશ્રીજી મ. શ્રીના માર્ગદર્શન વગર આ પત્રમાળાનું પ્રકાશન જ ન થઈ શકયું હોત.
જેમના અથાગ પ્રયત્ન વગર આ પત્રમાળા સુંદર વાંચનના પ્રવાહરૂપ બની ‘ન' શકી હોત તેવા પૂજ્ય ગુરુદેવશ્રીજીના અંત: પાર્ષદ અધ્યાપક શ્રી રતિલાલ ચી. દોશીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પૂ મ૰ સાના અક્ષરો ઉકેલવાની ગૂંચના કારણે યા અન્ય કોઈ કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ‘‘મિચ્છામિ દુક્કડં”.
શ્રી નવકારની દિવ્યકૃપા બળે - તેના માધ્યમરૂપે આ મહાપુરુષનું લખાણ વાચકને સીધું જ સ્પર્શશે એ ભાવથી આ પત્રમાળાનું પ્રકાશન કરી રહ્યા છીએ. આપ સર્વના જીવનમાં પણ શ્રી નમસ્કાર મહામંત્ર જીવંત તારક બને, તેની આરાધના વ્યવસ્થિત રીતે થાય, જિનભક્તિ સતત વિસ્તરતી રહે, અને ક્રિયાયોગ તરફ અંતરથી અભિરુચિ થાય, એ જ મંગલ કામના...
તારીખ : જેઠ વદ ૧૧, ૨૦૧૨. મંગળવાર, ૧૧ જૂન, ૧૯૯૬
Jain Education International
For Private & Personal Use Only
શ્રી જિતુભાઈ પી. શાહ પાલનપુર
www.jainelibrary.org