________________
૬૮
Cle
૨૯
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પાલનપુર
૧૮-૭-૮૩
વિ શ્રી નવકાર મહામંત્રના જાપથી વૃત્તિઓ વાસિત બની ત્યારે કહેવાય કે જ્યારે વૃત્તિઓમાંથી સ્વાર્થની દુર્ગંધ ઘટે અને પરમાર્થવૃત્તિઓનો ઉદય થાય.
延
વળી વ્યવહારમાં અનુભવાતાં સુખ કે દુ:ખરૂપ ગણાતા ઠંડી, ગરમી, અપમાન કે પ્રતિકૂળ પદાર્થો પણ પૌદ્ગલિક ભાવ - સંસારના પદાર્થોનો રાગ પોષાતો હોય તો મીઠા મધ જેવા લાગે છે. અને સુખરૂપ ગણાતા પાંચ ઇન્દ્રિયોની વાસનાને પોષક અનુકૂળ પદાર્થો પણ મોટી નાણાં-ભીડ ઇજ્જત આબરૂના ભારે ધકકાના પ્રસંગે જરાપણ અનુકૂળ નથી લાગતાં ચાર દિવસ પછી ફાંસીની સજા થવાની છે તેવાને સારામાં સારા મનમોહક પદાર્થો આકરા લાગે છે. એટલે વ્યવહારમાં સુખ માત્ર અજ્ઞાનદશામાંથી ઊભી થયેલ કલ્પનાનું પ્રતિબિંબ છે.
શ્રી નવકારના જાપના પરિણામે અજ્ઞાનમૂલક આ બધી કલ્પનાનાં જાળાં વિખરાઈ જાય છે. હકીકતમાં ભૌતિક પદાર્થ પ્રતિ અજ્ઞાનમૂલક સુખના પ્રતિભાસવાળી દષ્ટિ શ્રી નવકારના જાપથી પલટી જાય છે.
શ્રી નવકારના જાપની આ પારાશીશી છે. વિચારોમાં ખળભળાટ, દુન્યવી પદાર્થોનું આકર્ષણ, બીજાના દોષોની સમીક્ષા ઘટે, એટલે જાપ કોઠે લાગ્યો છે અને આત્મવિકાસની કક્ષાને વિકસાવવા જાપ ઉપયોગી થઈ રહ્યો છે, એમ કહી શકાય.
Jain Education International
તેમજ શ્રી નવકાર મહામંત્રના આરાધકને આત્માના સ્વરૂપ આડે રહેલ કર્મના પડદાને ખસેડવાનો તીવ્ર ભાવ ઝળકયા વિના ન રહે.
આ ઉપરાંત શ્રી નવકાર મહામંત્રના જાપની અદ્ભુત વિશેષતા એ છે કે સત્યને આપણે જોઈએ છીએ. જાણીએ છીએ, બોલીએ છીએ, બીજાને સમજાવીએ છીએ, તેના પર લેખો લખીએ છીએ પણ તે સત્યને અનુભવી શકતા નથી. અનુભવ્યા વગરનું સત્ય જીવન શુદ્ધિમાં ઉપયોગી થતું નથી.
શાસ્ત્રોરૂપી હિમાલયનાં ઊંચા શિખરો પરથી સત્ય રૂપ ભાગીરથી - ગંગાનો પ્રવાહ ધોધમાર વહે છે. પણ તેને આપણે આપણી વૃત્તિઓમાં - શિવજીએ જેમ જટામાં ગંગાને ઝીલી હતી તેમ ઝીલી અનુભવની સરાણ સુધી પહોંચાડવું જરૂરી છે.
અનુભવ વગરનું સત્ય આપણું થતું નથી. આપણી આંતરદૃષ્ટિના ઉઘાડ પછી વિવેકચક્ષુથી
For Private & Personal Use Only
www.jainelibrary.org