________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
વેદના શાન્ત થઈ ગઈ અને જાણે મુનિરાજે મને કંઈક મંગળ મંત્ર સંભળાવે છે. એવા તાનમાં તે સમળી સ્થિર થઈ શ્રી નવકાર સાંભળવા લાગી.
તેનું આર્તધ્યાન - રૌદ્રધ્યાન અટકી ગયું અને સ્પષ્ટ કંઈ સમજણ ન પડવા છતાં પૂ. મુનિરાજો મારા કલ્યાણ માટે કંઈક સંભળાવે છે, એવી મોઘમ શ્રદ્ધાથી ખૂબ અનુમોદનાના ભાવમાં હળવા મનથી વિશિષ્ટ પુણ્ય બાંધ્યું – પરિણામે તીરની તીવ્ર વેદનાથી મૃત્યુને વશ તો થઈ પણ અંત સમયે શ્રી નવકારના વર્ષોથી ઊપજેલી દિવ્યશ્રદ્ધાના બળે ભેગા કરેલ વિશિષ્ટ પુણ્યરાશિના બળે શુભભાવમાં મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. સિંહલદ્વીપના રાજાને ત્યાં રાજકુમારી તરીકે જન્મી- જેનું નામ સુદર્શના રાખ્યું. તે લગભગ ૧૬ વર્ષની થઈ ત્યારે રાજસભામાં ભારતનો કો'ક વેપારી શેઠ સિંહલદ્વીપમાં વેપાર માટે જાતજાતના કરિયાણાં વહાણમાં ભરી આવેલ.
તે વેપારી જાતજાતને ભેટયું લઈ સિંહલદ્વીપના રાજને નજરાણું કરવા આવ્યો. તે વખતે સુદર્શના પણ ત્યાં હતી. જાતજાતના કરિયાણાં બતાવતાં અચાનક વેપારીને છીંક આવી અને મને મદિંતાળ બોલ્યો.
જે સાંભળતાં જ સુદર્શના તુરત સંભ્રમવાળી થઈ, આવું કયાંક સાંભળ્યું છે, થોડી વારે બેભાન થઈ ગઈ, થોડી વારે ચેતના આવી પૂર્વજન્મ યાદ આવ્યો. માંસાહારી સમળીના ભાવમાં ભયંકર હિંસા આદિ પાપોથી દુર્ગતિમાં જવાના બદલે મુનિઓના મુખથી શ્રી નવકાર સાંભળવાના પરિણામે પોતાને આવી ભવ્ય રાજ્યલક્ષ્મી મળી, ધન્ય છે તે મહામુનિઓની કરુણાને, ધન્ય છે આ મહામંત્રના પ્રભાવને, એમ અનુમોદના કરતી તે વેપારી પાસેથી ભરૂચ, નર્મદા કિનારો, ત્યાં ભવ્ય ઘેઘૂર વડ, એ બધી ભાળ મેળવી પરમ સંતોષ પામી. પછી પિતાજીને સમજાવી રજા લઈ અનેક પરિવાર સાથે વહાણમાં બેસી ભરૂચ આવી.
મહામુનિઓના સમાગમે જૈન ધર્મના રહસ્યને પામી, ભવ્ય ઊંચા શિખરવાળું જિનાલય પોતાના પૂર્વજન્મની વીતક કહાણીના સંભારણા રૂપે બંધાવી સમળી વિહાર – શકુનિકા વિહાર નામ પાડ્યું.
આ રીતે શ્રી નવકાર ભયંકર પાપોનો નાશ કરી નવા પુણ્યના અખૂટ ભંડાર ભરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org