SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આવા શ્રી નવકારના જાપથી અંતરંગ વૃત્તિઓ એવી નિર્મળ થાય છે કે જેના પરિણામે સંકલેશનાં પરિણામો ઊપજે જ નહીં જેથી નવા પાપનો બંધ પણ અટકી જાય છે. આ રીતે નવકાર જૂનાં પાપોનો નિકાલ કરે છે. નવા પાપના ઉત્પાદનને રોકે છે અને જીવન વિકાસ માટે ઉપયોગી પુણ્યના ભંડારને પરિપુષ્ટ કરે છે. તેથી શ્રી નવકાર મંત્રાધિરાજ અને મંત્ર-શિરોમણિ કહેવાય છે. આ નવકારના પ્રતાપથી ભરૂચની માંસાહારી સમળીનો પણ ઉદ્ધાર થઈ ગયો તે આ પ્રમાણે ભરૂચમાં નર્મદા કંઠે એક મોટો વડલો ઘેઘૂર ઘટાવાળો હતો જેના પર વિવિધ જાતના કાગડા, ચકલા, પોપટ, તેતર, સમળી આદિ પંખીઓ માળો કરી રહેતાં. એક વખતે ચોમાસાની ઋતુમાં મુશળધાર વરસાદ શરૂ થયો. સાત દિવસની હેલી થઈ, ઘડીભર પણ બંધ ન રહ્યો, માણસો, ઢોર તો ઠીક પણ પંખીઓ પણ છ દિવસ માળામાંથી બહાર નીકળી ન શકયાં. ૭ દિવસ પંખીઓ ભૂખ્યા રહ્યાં. પેલા વડ પર રહેલી એક સમળી જેનાં બચ્ચા નવા જન્મેલાં તેના પર સમળીને પ્રેમ ઘણો – બચ્ચાં ભૂખ્યાં થઈ ચું-શું કર્યા કરે, પણ સતત વરસાદના કારણે સમળી ચણ લેવા બહાર કયાંય જઈ ન શકી. માંડ માંડ સમળીએ ૭ દિવસ કાઢયા, બચ્ચાઓની વેદનાથી સમળી ખૂબ દુ:ખી દુ:ખી થઈ. છેવટે આઠમે દિવસે વરસાદ બંધ રહ્યો ત્યારે પોતાના નાના ગભરુ બચ્ચાંના ૭ દિવસના ભૂખના કલ્પાંતથી ખૂબ ગભરુ બનેલી સમળી પોતાને પણ કકડીને ભૂખ લાગેલી. ખૂબ જ અશકિત છતાં બચ્ચાં ઉપરના વાત્સલ્યથી પ્રેરાઈને એકદમ ઊડીને ગામ બહાર નજીકમાં જ એક શિકારીના ઘર પાછળના વાડામાં પડેલ ઢગલામાંથી ઝડપથી માંસના લોચાને લઈ પાછી પોતાના બચ્ચાને વહાલથી ખવડાવવા વડલા તરફ ઊડી, એટલામાં શિકારીએ જોયું કે સમળી માંસનો લોચો લઈ જાય છે, એટલે આવેશમાં આવી કામઠા પર તીર ચઢાવી સરરરર કરતું સમળીને માર્યું. બિચારી સમળી અણીદાર તીરના ઘાથી તરફડતી નીચે પડી. તીરની ભયંકર વેદના ઉપરાંત મારાં બચ્ચાં બિચારાં ૭ દિવસના ભૂખ્યાં ટળવળતાં રહ્યાં. અરેરે! હું મારા બચ્ચાને ખવડાવી ન શકી એમ ભારે માનસિક વ્યથાથી ટળવળતી-તરફડતી રહી. આ સમયે ભરૂચ શહેરમાંથી બે સાધુ ભગવંતો પંડિલભૂમિએ જવા તે રસ્તેથી પસાર થયા. સમળીને તીરની વેદનાથી તડફડતી જોઈ અત્યંત કરુણાથી પ્રેરાઈ અંતરંગ ભાવ દયાના બળે બંને મુનિરાજેએ નીચે બેસી તે સમળીના કાનમાં ધીમે ધીમે શુદ્ધ ઉચ્ચારપૂર્વક શ્રી નવકાર મહામંત્ર સંભળાવવો શરૂ કર્યો. સમળી ભયંકર વેદના, આર્તધ્યાન અને ભારે અસમાધિથી પીડાતી હતી. પણ ભાવ કરુણાના ભંડાર સાધુ ભગવંતોના મુખથી સંભળાતા શ્રી નવકાર મહામંત્રના દિવ્ય સનાતન ચૈતન્ય તત્ત્વના વિકાસની સફળ કૂંચી સમા મીઠા-મધુર સ્વરથી સંભળાતા અક્ષરોની માંત્રિક શકિતથી સમળીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy