SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા એ વાત સ્પષ્ટ ટંકારપણે જ્ઞાનીઓએ સૂચવી છે. શ્રી નવકાર સર્વપાપોને મૂળમાંથી નાશ કરે છે એ કેવી રીતે? પાપનું મૂળ છે – ધર્મ મહાસત્તાનો તેમની આજ્ઞાની બિનવફાદારીરૂપે અનાદર. તેનાથી વધુ તીવ્રતાવાળા કર્મનો બંધ પડે. પણ જ્યારે શ્રી નવકારના જાપ દ્વારા હૈયાનું વલણ અને વૃત્તિઓનું ઘડતર પરમેષ્ઠીઓની આજ્ઞાને અનુરૂપ થવા માંડે એટલે ધર્મ-મહાસત્તાનો આદરભાવ વધવાથી પાપકર્મોની આધારશિલા ખસી જવાથી પાપકર્મોના પરમાણુઓનો વિશાળ જથ્થો પણ વિખરાવા લાગે છે. એટલે ધર્મ-મહાસત્તાની પ્રબળતાનો રણકાર શ્રી નવકારના સાતમા પદમાં છે. આપણે તેનો લાભ ઉઠાવવાની જરૂર છે. જ્ઞાનીઓએ આ ધર્મમહાસત્તાની સર્વોપરીતાનું શાસ્ત્રોમાં આ રીતે વર્ણન કર્યું છે કે, દર અઠવાડિયે આખા વિશ્વમાં ગમે ત્યાં પણ એક જીવ સમ્યફત્વ પામે છે. પંદર દિવસે એક જીવ વિરતિ – ચારિત્ર ધર્મનો સ્વીકાર કરે છે. દર છ મહિને એક જીવ સંસારથી મુકત બની મોક્ષે જાય છે. ગમે તેવી વિષમ કર્મસત્તાનું સામ્રાજ્ય ચોમેર દેખાતું હોય છતાં ધર્મમહાસત્તાના બળે દર અઠવાડિયે એક જીવ મહાભયંકર દર્શન મોહનીય કર્મ પર વિજય મેળવી સમ્યક્ત્વ પામે, તેમજ દર પંદર દિવસે એક જીવ ચારિત્ર મોહનીય કર્મ પર વિજય મેળવે. તે રીતે દર છ મહિને એક જીવ સઘળાં કર્મોનાં બંધનોને ફગાવી મોક્ષે જાય, કેટલો અજબ ધર્મ મહાસત્તાનો પ્રભાવ !! ઉપરની વાત ઓછામાં ઓછી જણાવી, ધર્મમહાસત્તાના પ્રભાવે એકથી વધુ જીવો સમ્યક્ત્વ, વિરતિ અને મોક્ષ પદને પામે છે. આવી ધર્મ મહાસત્તાની વ્યાપક અસરને ઓળખી પંચ પરમેષ્ઠીઓની આજ્ઞાને જીવનમાં શિરોધાર્ય કરી ધર્મમહાસત્તાના છત્ર તળે જીવનને લઈ જવાની જરૂર છે. તો કર્મસત્તાનાં મૂળ ઢીલાં પડે, આરાધનામાં જુસ્સો વધુ આવે. જે જે આરાધક પુણ્યાત્માઓએ પરમેષ્ઠીઓની આજ્ઞાને શિરોધાર્ય કરી તેમણે બટન દબાવતાં જ અજવાળું પાથરવાની જેમ જીવનમાં ભયંકર આફતો સામે દિવ્ય રક્ષણ મેળવ્યું છે. આ ઉપર ૬૦ – ૭૦ વર્ષ પૂર્વની યુ.પી.માં લખનૌની બનેલી સત્યઘટના સમજવા જેવી છે. લખનૌમાં જૈન સાધુઓના ઉપાશ્રયની નજીક રહેતા મહમ્મદ નામના એક મુસ્લિમભાઈ ભદ્ર પરિણામી હોઈ જૈન મુનિના વ્યાખ્યાન આદિ સંપર્કથી કૂણા પરિણામ વાળા થયા પરિણામે શરાબ, માંસાહાર વગેરેથી નફરત કરતા થયા. ઈંડા વગેરેને પણ ત્યાગ કરવા માંડયા. ધીમે ધીમે સાત્વિક જીવન થવા માંડ્યું. એક વખતે કો'ક સાધુ મહારાજે સરળ સ્વભાવી તે મુસ્લિમભાઈને કહ્યું, મીયાં! ખુદા કા નામ લેતે હોન! પેલા ભાઈએ કહ્યું કે, મહારાજ ! જો બન શકતા હૈ વહ થોડા બહુત કરતા હું – નમાજ ભી પઢતા હું. આપ કુછ બતાયે જીવનકા કલ્યાણ હો જાય. જૈનમુનિએ પૂછયું કે, શરાબ, માંસાહાર કી પરહેજ હૈ કયા! મીયાએ કહ્યું કે મહારાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy