SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ સોનું ખૂટે જ નહીં. શિવકુમારે ખાડો ખોદી સોનાના પુરુષને દાટી યુકિતથી ઘરે લાવી તેના સોનાથી ફરી માલદાર શ્રીમંત થઈ ગયો. પિતાજીએ મરતી વખતે કરેલ ભલામણ અનુસાર શ્રી નવકાર મહામંત્રથી પોતે બચી ગયો અને શ્રીમંત પણ થયો એવો પ્રત્યક્ષ તેનો ચમત્કાર નિહાળી જિંદગીભર તે શ્રી નવકાર મહામંત્રનો આરાધક બન્યો અને ઘણાં દાનપુણ્ય કર્યાં, સદાચારી બની સદ્ગતિમાં પહોંચ્યો. - શિવકુમારને જે રીતે પિતાજીના વચનાનુસાર દુ:ખમાં ગભરાઈને પણ શ્રી નવકાર મહામંત્રને વળગી પડ્યો, તો તેના પરિણામે તેના જીવનમાં ધરખમ પલટો બધી રીતે થયો. આ રીતે આપણે પણ આપણા જીવનમાં શ્રદ્ધા-ભકિતની કેળવણી કરી શ્રી નવકારને ખરેખર જો વળગી જઈએ તો આપણા જીવનનો પણ ધરખમ પલટો થઈ જાય. તમો પુણ્યશાળી છો કે નાની વયે પણ તમે શ્રી નવકાર મૈયાની ગોદમાં આવવા તત્પર બન્યા છો, તો હવે માને મૂકીને માશીની પાસે જવા વિચાર સરખો ન કરવો. Jain Education International શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા માશી એટલે વાસના તૃષ્ણા અને પૌદ્ગલિક ભાવની પ્રીતિ, તેના ફંદામાં હવે જીવન ન ફસાય – તેનું પૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે. - શ્રી નવકાર મહામંત્રની આરાધનાને પોષક ભાવના નહીં સતાવું કોઈ જીવને, કદી અસત્ય નહીં ઉચ્ચરું । પરધન-વનિતા પર ન લોભા, સંતોષામૃત પીધા કરું ।।૧।। અહંકારનો ભાવ ન રાખું નહીં કોઈ પર ક્રોધ કરું દેખી અન્યોની ચડતીને, કદી ન ઈર્ષ્યાભાવ ધરું રા રહે ભાવના એવી મ્હારી, સરળ સત્ય વ્યવહાર કરું । બને ત્યાં સુધી આ જીવનમાં, અન્યો પર ઉપકાર કરું ગા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy