________________
પ૮
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા
,
વડગામ
૪-૭-૮૩ વિ, નવકાર મંત્ર - એ નામ નમસ્કારમંત્રનું અપભ્રંશ-રૂઢ બન્યું છે. એટલે કે જેમાં નમવાનું મહત્ત્વ છે તેવો મંત્ર તે શ્રી નવકાર મંત્ર.
નમવું એટલે ઝૂકવું – ઝૂકવાનો મતલબ તે ચીજને મેળવવા - લેવા માટે નીચા નમવું.
એટલે કે જીવનમાં મેળવવા લાયક સંતોષ, ઇંદ્રિયવિજય, મનોનિગ્રહ, સ્વદોષદર્શન આદિ અંતરંગ આત્મિક ગુણોને મેળવવાના ધ્યેયથી અનંતગુણોના ભંડારસમાં પરમેષ્ઠીઓ તરફ નમ્રતા – મૂકાવ તે શ્રી નમસ્કાર મંત્રનું હાર્દ છે.
- ટૂંકમાં ગુણાનુરાગ દષ્ટિએ અંતરના ઝૂકાવ સાથે પરમેષ્ઠીઓ તરફ નમ્રતા – આજ્ઞાધીનતા કેળવવી એટલે હકીકતમાં શ્રી નવકારને સમર્પિત થયા કહેવાઈએ. સમર્પણ ભાવ વિના કદી પણ સાધ્યની સિદ્ધિ ન થાય.
તેથી નવકારની આરાધનામાં નમ્રતા - અંતરના ઝુકાવની ખાસ જરૂર છે. અંતરના ઝુકાવ માટે ગુણાનુરાગ દષ્ટિની ખાસ જરૂર છે. પણ ગુણાનુરાગ દષ્ટિ માટે અહંકારનો ભાવ ઘટવો જરૂરી છે. સાથે જ આત્મલક્ષી વિકાસનું ધ્યેય પણ જરૂરી છે.
આ રીતે શ્રી નવકાર મહામંત્ર અંતરના વિકાસ માટે જરૂરી ગુણોના સમૂહરૂપ છે. આવા શ્રી નવકારના જાપથી અંતરની શુદ્ધિનું બળ વધુ કેળવાય છે.
તેની પ્રતીતિ જીવનમાં પરદોષદષ્ટિ ઘટે – ગુણાનુરાગ વધે, સ્વદોષ-દર્શન જાગે, અહંભાવ વિદાય થવા માંડે – આદિ લક્ષણોથી થઈ શકે.
જા૫ એટલે સતત વણના ઉચ્ચારણથી કરવતથી જેમ લાકડું વેરાય તેમ આત્મા પર વળગેલ કમના પરમાણુઓના થર શાશ્વત શ્રી નવકારમંત્રના દિવ્યશકિત નિધાન વર્ષોમાં શ્રદ્ધાભકિતની તીવ્રતા ભળવાથી કપાય, એટલે શ્રી નવકારનો જાપ પરિણામે આત્મશુદ્ધિકર નીવડે છે. વિચારોમાં અહંભાવ અને મમતાના મિશ્રણથી વિકારોનાં બીજ પડે છે અને વાસનાનાં પાણીથી તે બીજ અનેક દુર્ગુણોરૂપે ફળે છે. પણ શ્રી નવકારના જાપથી વિચારોમાં અહંભાવ અને મમતાનું થતું મિશ્રણ જ અટકી જાય છે. પરિણામે વિકારો ઊપજે જ નહીં. દુર્ગુણોનો વિકાસ પણ થંભી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org