SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતની એકાગ્રચિત્તે પૂજા કરી, સ્તવના કરી. પૂજાવિધિ પૂરી કરીને જયારે રાજા અને દેવબોધિ મહેલમાં આવ્યા ત્યારે દેવબોધિએ કહ્યું : “રાજેશ્વર, વંશપરંપરાથી ચાલ્યો આવતો શૈવધર્મ છોડીને આ જૈન ધર્મ શા માટે સ્વીકાર્યો ?” મહારાજ, શૈવ ધર્મ સારો છે પરંતુ તેમાં હિંસા છે. જૈન ધર્મ અહિંસાનો ઉપદેશ આપે છે.” તો પછી તમારા પૂર્વજોએ કેમ શૈવ ધર્મ સ્વીકાર્યો હતો ? આપણે આપણો ધર્મ ના છોડવો જોઈએ. વળી, જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ના બેસતો હોય તો હું તમને તમારા પૂર્વજ મૂળરાજ વગેરેને પ્રત્યક્ષ બોલાવું. તેમને પૂછી જુઓ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવું! તેમને પૂછી જુઓ... કે કયો ધર્મ શ્રેષ્ઠ છે ?' દેવબોધિએ તે જ સમયે, મંત્રબળથી કુમારપાલ રાજાના પૂર્વજ રાજાઓ મૂળરાજ વગેરેને હાજર કર્યા... કુમારપાલે તે સહુને પ્રણામ કર્યા... તે પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા. કુમારપાલ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. - ચાર મુખવાળા બ્રહ્માજી વેદોના ઉચ્ચાર કરતા હતા, - ચાર હાથવાળા કૃષ્ણની પાસે શંખ, ચક્ર વગેરે શસ્ત્રો હતાં, - ત્રણ આંખોવાળા શંકરના ગળામાં સર્પો લટકી રહેલા હતા. ત્રણે દેવો અત્યંત તેજસ્વી દેખાતા હતા. કુમારપાલને તેઓમાં પરમજ્યોતિનાં જાણે દર્શન થતાં હતાં. બ્રહ્માજીએ કહ્યું : “હે ગુર્જરેશ્વર, અમને તે ઓળખ્યા ને ? અમે આ સૃષ્ટિના સર્જનહાર, ચલાવનાર અને સંહરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છીએ. અમે જ જીવોનાં જન્મ, જીવન અને મૃત્યુના દાતા છીએ. અમારા કહેલા ધર્મથી જીવો સ્વર્ગ અને મોક્ષનાં અનંત સુખ પામે છે. માટે તારી બધી ભ્રમણાઓ દૂર કરી, અમારી ઉપાસના કરી અને શુદ્ધ વૈદિક ધર્મનું પાલન કર. તેથી જ તારી મુક્તિ થશે. અને આ દેવબોધિ મહાયોગી છે. તે જાણે અમારું જ પ્રતિબિંબ છે, એમ (૮૪ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy