SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભૃગુપુર નામનું ગામ હતું. તે ગામમાં દેવબોધિ નામનો સંન્યાસી રહેતો હતો. તેણે સરસ્વતીદેવીની ઉપાસના કરી હતી, તેથી તેના ઉપર સરસ્વતી પ્રસન્ન થઈ હતી. તેણે ‘સારસ્વતમંત્ર' સિદ્ધ કર્યો હતો. તે શ્રેષ્ઠ વિદ્વાન બન્યો હતો અને લોકોને આશ્ચર્ય પમાડે તેવી અદ્ભુત કળાઓ શીખ્યો હતો. દેવબોધિની પાય એક દિવસ એક મુસાફરે આવીને દેવબોધિ સંન્યાસીને કહ્યું કે, ‘પાટણમાં હેમચન્દ્રાચાર્ય નામના જૈનાચાર્યના જ્ઞાનથી અને પુણ્યપ્રભાવથી ગુજરાતનો રાજા કુમારપાલ જૈન ધર્મને માનવા લાગ્યો છે. તેથી પ્રજા પણ જૈન ધર્મને શ્રેષ્ઠ ધર્મ માને છે.’ — આ વાત સાંભળીને દેવબોધિ વિચારવા લાગ્યો... મારા જેવો વિદ્વાન ને ચમત્કારી ગુરુ જીવતો-જાગતો બેઠો છે, ને ગુજરાતનો રાજા પોતાનો કુળધર્મ છોડીને, શૈવધર્મ છોડીને જૈનધર્મી બને તે કેમ ચલાવી લેવાય ? હું ગમે તેમ કરીને પણ રાજાને પાછો શૈવધર્મી બનાવીશ.’ આમ વિચારીને દેવબોધિ પાટણ આવ્યો. એક શૈવમંદિરમાં એણે ધામા નાંખ્યા. મંદિરમાં સવારે અને સાંજે નાના-મોટા અનેક લોકો મહાદેવનાં દર્શન કરવા આવે ! દેવબોધિ સંન્યાસીને ત્યાં જોઈને લોકો એને પણ પ્રણામ કરે. ત્યારે દેવબોધિ તેમને ચમત્કાર દેખાડવા લાગ્યો. ચમત્કારને નમસ્કાર ! દેવબોધિના ચમત્કારની વાતો પાટણમાં ઘેર-ઘેર ફેલાવા લાગી : શૈવમંદિરમાં એક ચમત્કારી સંન્યાસી આવ્યો છે ! ક્ષણે ક્ષણે જુદાં રૂપ કરે છે ! લોકોનું સાચું ભવિષ્ય ભાખે છે ! આકાશમાંથી શિવની મૂર્તિ લાવે છે ! ૮૨ Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy