SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ફેરવીને નિર્ણય કર્યો કે આ દેવતા જ છે ! રાજાએ પછી જમીન ઉપર પાંચ અંગ લગાડીને પ્રણામ કર્યા, અને પ્રાર્થના કરી : ‘હે જગદીશ, આપનાં દર્શનથી મારી આંખો પાવન થઈ. કારણ કે તમારું નિરંતર ધ્યાન કરનારા આત્મજ્ઞાનીઓને પણ દર્શન આપતા નથી... તો પછી મારા જેવા અજ્ઞાનીની તો વાત જ શી કરવી ? પરંતુ મારા આ ઉપકારી ગુરુદેવના ધ્યાનથી આપે મને દર્શન દીધાં છે. મારો આત્મા હર્ષથી ઊછળી રહ્યો છે.’ ભગવાન સોમનાથનો ગંભીર ધ્વનિ મંદિરમાં ગુંજી ઊઠ્યો. ‘કુમારપાલ ! મોક્ષ અપાવનાર ધર્મ જો તું ઇચ્છતો હોય તો આ સાક્ષાત પરબ્રહ્મ જેવા સૂરીશ્વરની સેવા કર. સર્વ દેવોના અવતારરૂપ, સર્વ શાસ્ત્રોના પારગામી, ત્રણે કાળના સ્વરૂપને જાણનારા એવા આ હેમચન્દ્રસૂરિની દરેક આજ્ઞાને પાળજે. તેથી તારી બધી મન:કામનાઓ ફળીભૂત થશે.' આટલું કહીને શંકર સ્વપ્નની જેમ અદૃશ્ય થઈ ગયા. રાજાને ખુબ વિસ્મય થયો. તેણે ગુરુદેવ સામે જોયું... તેનાં તન-મન અને નયન હર્ષથી ગદ્ગદ થઈ ગયાં. તેણે કહ્યું, ‘હે ગુરુદેવ, આપને તો ઈશ્વર પણ વશ છે. આપ જ મહેશ્વર છો. હે મારા ગુરુદેવ ! મારાં પૂર્વજન્મોનાં પુણ્ય આજે પાકી ગયાં છે... આપ જ મારા દેવ છો, આપ જ મારા ગુરુ છો, આપ જ મારા તાત અને માત છો ! આપ જ મારા ભાઈ છો ને મિત્ર છો ! આ લોક અને પરલોકના આપ જ મારા ઉદ્ધારક છો !' રાજા ગુરુદેવના ચરણોમાં પડી ગયો. યાત્રા સફળ થઈ. સહુ આનંદથી પાછા પાટણ આવ્યા. સોમનાથ મહાદેવ પ્રગટ થયા Jain Education International For Private & Personal Use Only ૮૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy