SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સોમનાથના મંદિરનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું. રાજા પાટણથી લાખો રૂપિયા મોકલવા લાગ્યા. બે વર્ષમાં મંદિરનું કામ પૂરું થઈ ગયું. કુમારપાલના હર્ષનો પાર ન રહ્યો. રાજાએ રાજસભામાં ગુરુદેવની ખૂબ-ખૂબ પ્રશંસા કરી. એ સાંભળીને રાજપુરોહિત ઈર્ષ્યાથી બળવા લાગ્યો. હેમચન્દ્રસૂરિ તરફ એને ખૂબ દ્વેષ હતો. એના મનમાં ભય હતો કે હેમચન્દ્રસૂરિના પ્રભાવથી રાજા જૈનધર્મી બની જશે તો ? રાજા બ્રાહ્મણધર્મી જ રહેવો જોઈએ.” પરંતુ હેમચન્દ્રસૂરિ આગળ રાજપુરોહિતનું કંઈ ચાલતું ન હતું! તે મનમાં સમસમી જતો. આજે રાજસભામાં હેમચન્દ્રસૂરિ હાજર ન હતા. રાજપુરોહિતને તક મળી ગઈ. તે ઊભો થઈને ક્રોધથી ધમધમતો બોલવા લાગ્યો. “મહારાજા, એ જૈનાચાર્યનો વિશ્વાસ ના કરશો. એ મહાકપટી છે. મીઠું-મીઠું બોલીને તમને ભોળવવા માગે છે. એને આપના ધર્મ ઉપર રાગ નથી, દ્વેષ છે. જો આપને મારી વાત પર વિશ્વાસ ન બેસતો હોય તો આપ એ હેમાચાર્યને આપની સાથે સોમનાથની યાત્રાએ આવવા કહો. એ આવશે નહીં. એ સોમનાથનાં દર્શન પણ નહીં કરે !' રાજાએ કહ્યું : “ભલે, હું એમને સોમનાથની યાત્રામાં સાથે આવવા વિનંતી કરીશ.' રાજસભા બરખાસ્ત થઈ. રાજપુરોહિતની વાતથી રાજાના મનમાં અશાન્તિ પેદા થઈ. તેઓ સીધા જ ગુરુદેવના ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરીને કહ્યું : ગુરુદેવ, સોમનાથ મહાદેવના મંદિરનું કાર્ય પૂરું થયું છે. મારી ઈચ્છા છે કે હવે હું એકવાર સોમનાથની યાત્રા કરું. ગુરુદેવ, આપ પણ મારી સાથે યાત્રા કરવા પધારશોને ?” તુર્ત જ ગુરુદેવે કહ્યું: “રાજનું, તીર્થયાત્રા તો અમારો ધર્મ જ છે! એ જ અમારું કામ છે તીર્થયાત્રા માટે અમને સાધુઓને પ્રાર્થના કરવાની જ ના હોય !” ( ૭૯ સર્વજ્ઞ જેવા સૂદેિવ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy