SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ ધર્મો પર સમભાવને ધારણ કરનારા, પોતાના ભક્ત રાજા કુમારપાલનો પ્રશ્ન સાંભળીને, આચાર્યદેવે કહ્યું : ‘કુમારપાલ, કોઈ મોટું વ્રત લો. વ્રતપાલનથી પુણ્ય વધે છે. પુણ્ય વધવાથી કાર્ય જલ્દી પૂરું થાય છે.’ કુમારપાલે પૂછ્યું : ‘ગુરુદેવ, આપને મારા માટે યોગ્ય લાગે તે વ્રત આપો. હું ગ્રહણ કરીશ.' ગુરુદેવે કહ્યું : ‘રાજન, માંસાહાર છોડી દો અને મદિરાપાન (દારૂ પીવાનું) છોડી દો. રાજેશ્વર, જે માણસ માંસાહાર કરતો નથી, કોઈ જીવનો ઘાત કરતો નથી એ માણસ જ સર્વ પ્રાણીઓનો મિત્ર છે. પૈસા લઈને માંસ વેચનારા, માંસ ખાનારા, જીવોને મારનારા, જીવવધની યોજના કરનારા, આ બધા ઘાતક છે, હિંસક છે. મહાપાપ કરાનારા છે. આ જ રીતે - - દારૂ બનાવનારા, દારૂ વેચનારા, દારૂ પીનારા, દારૂ બનાવવાનાં કારખાનાંની યોજનાઓ કરનારા... આ બધા જ ઘોર પાપ આચરનારા છે. આ પાપ કરનારા નરકમાં ઘોર દુ:ખો પામે છે.’ રાજાએ બે પ્રતિજ્ઞાઓ લીધી... માંસાહાર જીવનપર્યંત કરીશ નહીં. દારૂ જીવનપર્યંત પીશ નહીં. ગુરુદેવને સંતોષ થયો. રાજાને આનંદ થયો. સોમનાથ મહાદેવ પ્રગટ થયા Jain Education International For Private & Personal Use Only ૭૫ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy