SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના મિત્ર વોસરિ બ્રાહ્મણને લાદેશનો રાજા બનાવ્યો છે ! આ બધું તો એણે કર્યું છે, પરંતુ મારી આગળ રાજાએ આપને યાદ કર્યા નથી !' આચાર્યદેવે બે ક્ષણ આંખો બંધ કરી, પછી આંખો ખોલીને તેમણે મહામંત્રીને કહ્યું : મહામંત્રી, તમે આજે રાજા પાસે જઈને એને એકાંતમાં કહેજો કે એ રાણીના મહેલમાં સૂવા માટે ના જાય. સવારે કોઈ ચમત્કાર થાય અને રાજા તમને પૂછે કે : ‘તમે મને રાણીના મહેલમાં સૂવા જવાની ના પાડેલી, તે કોના કહેવાથી ના પાડેલી ? તો તમે મારું નામ આપજો.’ મહામંત્રીએ હા પાડી. એમને ચોક્કસ લાગ્યું કે સવારે રાજપિરવારમાં કોઈ ચમત્કાર થવાનો જ ! તેઓ ત્યાંથી સીધા જ રાજમહેલમાં ગયા. મહારાજા કુમારપાલને મળ્યા. તેના કાનમાં કહ્યું : ‘મારે એક ખૂબ જ અગત્યની વાત કરવી છે.' કુમારપાલે ત્યાં બેઠેલા રાજપુરુષોને ઇશારાથી બહાર કાઢ્યા. મહામંત્રીએ કહ્યું : આજે આપે રાણીના મહેલમાં સૂવા માટે જવાનું નથી... ' રાજાએ કોઈ તર્ક-વતર્ક કર્યા વિના હા પાડી. રાજા મહામંત્રીને પિતાતુલ્ય માનતો હતો. મહામંત્રી પોતાના સ્થાને ગયા. રાજા કુમારપાલ રાણીના મહેલમાં સૂવા ના ગયા. રાત્રે એ મહેલ ઉપર વીજળી પડી, મહેલ બળી ગયો ને રાણી પણ મરી ગઈ. વહેલી સવારે રાજાને આ બધા સમાચાર મળ્યા. રાજાને ઘણું આશ્ચર્ય થયું. મહામંત્રીને પણ વહેલી સવારે સમાચાર મળી ગયા હતા. એમને પણ ઘણું આશ્ચર્ય થયું ! તેઓ રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું : “મહામંત્રી, આવી સચોટ ભવિષ્યવાણી કોણે કરી હતી ?' ‘એ જાણીને આપ શું કરશો ?’ કુમારપાલનો પશ્ચાત્તાપ Jain Education International For Private & Personal Use Only ૬૯ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy