SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્ય નાના ગંગદેવ હતા ત્યારે ઉદયનમંત્રીના ખોળામાં રમેલા હતા ! તેમની દીક્ષામાં પણ ઉદયનમંત્રી મુખ્ય હતા : અને કુમારપાલની રાજ્યપ્રાપ્તિનું ભવિષ્ય ભાખ્યું હતું ત્યારે તેના સાક્ષી પણ ઉદ્દયન મંત્રી હતા. ઉદયન મંત્રીએ પાટણના જૈન સંઘને ભેગો કરીને કહ્યું : ‘આપણા મહાન આચાર્યદેવ પાટણ પધારી રહ્યા છે. તેઓનું ભવ્ય સ્વાગત કરવાનું છે.' સહુ હર્ષ પામ્યા. આચાર્યદેવનો ભવ્ય નગરપ્રવેશ થયો. ઉપાશ્રયે પહોંચીને તેઓએ ધર્મોપદેશ આપ્યો. લોકો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. મહામંત્રી ઉદયન ગયા નહીં, ઊભા રહ્યા. આચાર્યદેવે તેમને એકાંતમાં પૂછ્યું : ‘મહામંત્રી, મારા ભવિષ્યકથન મુજબ કુમા૨પાલને રાજ્યની પ્રાપ્તિ થઈ છે. હવે એ મને ક્યારેક સંભારે છે, નહીં ?’ ઉદયન મંત્રીએ કહ્યું : ‘ગુરુદેવ, રાજાએ, એના રઝળપાટના સમયમાં એના પર જેણે જેણે ઉપકારો કરેલા, તે સહુને બોલાવીને તેમની ઉચિત કદર કરી છે ! જે ભીમસિંહે કુમાર ઉપર દયા લાવી એને ઝાંખરામાં સંતાડીને, સિદ્ધરાજના સૈનિકોથી એની રક્ષા કરી હતી, એ ભીમસિંહને બોલાવીને તેને પોતાનો અંગરક્ષક નિયુક્ત કર્યો છે. – જે શેઠની પુત્રવધૂએ, કુમારને ત્રણ-ત્રણ દિવસની લાંઘણના અંતે... જ્યારે બેભાન બનીને જંગલની વાટે પડ્યો હતો ત્યારે, તેને સ્નેહથી જમાડીને પોતાના વાહનમાં બેસાડ્યો હતો, તે દેવશ્રીને બોલાવીને, તેની પાસે રાજતિલક કરાવી તેને પોતાની ધર્મ-બહેન બનાવી અને વીરપસલીમાં એક ગામનું રાજ ભેટ આપ્યું. જે સજ્જન કુંભારે કુમારને ઈંટોના નીંભાડામાં સંતાડી તેના પ્રાણ બચાવ્યા હતા, એ સજ્જનને તેણે ચિત્રકૂટનો સામંત રાજા બનાવ્યો છે ! ૬૮ Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy