SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોમાં કહ્યું: “વત્સ, જૈન સાધુ રાજય પણ ના લે અને રાજાય ના બને ! અમે તો ત્યાગી છીએ. પરંતુ કુમાર, જ્યારે તું રાજા બને ત્યારે શ્રી જૈન ધર્મનો દેશ અને દુનિયામાં ફેલાવો કરજે. અહિંસા ધર્મને ઘરઘરમાં પળાવજે.” કુમારપાલે પ્રતિજ્ઞા લીધી : “હું રાજા બનીને આપની આજ્ઞાનું પાલન કરીશ.' ત્યારપછી આચાર્યદવ મહામંત્રી ઉદયનને પાસેના ઓરડામાં લઈ ગયા અને કહ્યું : “મહામંત્રી, તમે બધી વાત શાન્તિથી સાંભળી છે. આ યુવકના માથે અત્યારે મોત ભમી રહ્યું છે, એ તમે જાણો છો... તમારે એને સહાયતા કરવાની છે. એને તમારા ઘેર લઈ જાઓ. એનું સુંદર આતિથ્ય કરીને સહાયતા કરજો. આ યુવાન ભવિષ્યમાં જૈન ધર્મનો સમગ્ર દેશમાં ફેલાવો કરનાર થવાનો છે અને અસંખ્ય સત્કાર્યો કરવાનો છે. તમારે એને તમારી હવેલીમાં ગુપ્ત રાખવાનો છે. કોઈનેય ગંધ ના આવવી જોઈએ.' ઉદયનમંત્રી ચુસ્ત જૈન હતા. રાજા સિદ્ધરાજે તેમને ખંભાત અને એની આસપાસના પ્રદેશનો વહીવટ સોંપેલો હતો. ઉદયન કુશળ, મુત્સદ્દી અને પ્રભાવશાળી વહીવટકર્તા હતા. તેમને આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી પ્રત્યે અપાર સ્નેહ હતો. શ્રદ્ધા હતી. આચાર્યશ્રીની આજ્ઞા મુજબ તેઓ કુમારપાલને પોતાની હવેલીમાં લઈ ગયા. ઘણા મહિનાઓ પછી કુમારપાલે સ્નાન કર્યું. સ્વચ્છ અને સાદા વસ્ત્રો પહેર્યો. પેટ ભરીને સારું સ્વાદિષ્ટ ભોજન કર્યું... અને નિરાંતે બાર કલાક ઊંઘ ખેચી કાઢી. થોડા દિવસ વીત્યા. ગુપ્તચરો દ્વારા રાજા સિદ્ધરાજને ખબર પડી ગઈ કે કુમારપાલ ખંભાતમાં છે ! તુર્ત જ એણે સૈનિકોની એક ટુકડીને બોલાવીને કહ્યું: “તમે ખંભાત જાઓ અને કુમારપાલને શોધીને એને મારી નાંખો.” ઉદયન મંત્રીને ખબર પડી ગઈ ! તેમણે કુમારપાલને સાવધાન ( ૧૨ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy