SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કરી દીધો, ‘મારી હવેલીમાં તું સલામત નહીં રહે. ગુરુદેવ પાસે જા. એ જ તારું રક્ષણ કરશે.' કુમારપાલ રાત્રિના સમયે ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુદેવને બધી વાત કરી, રક્ષણ માગ્યું. આચાર્યદેવનું ચિત્ત દ્રવિત થઈ ગયું. તેઓ વિચારે છે : રાજા સિદ્ધરાજને મારા પર વિશ્વાસ છે... જો હું આ યુવાનને રક્ષણ આપું છું તો રાજાનો દ્રોહ થાય છે... બીજી બાજુ જો હું રક્ષણ નથી આપતો તો એની હત્યા થાય છે... ના, ના, મારા શરણે આવેલાને મારે બચાવવો જ જોઈએ. ભલે મારા પ્રાણ જાય, પરંતુ કુમારની રક્ષા તો હું કરીશ જ. એ ભવિષ્યમાં જિનશાસનનો મહાન પ્રભાવક બનવાનો છે.’ આમ વિચારીને, આચાર્યદેવે કુમારને કહ્યું : ‘તું મારી પાછળ આવ.' તેઓ ઉપાશ્રયના એક ઓરડામાં ગયા. ઓરડાનું બારણું અંદરથી બંધ કર્યું. તેમણે એક ભોંયરાનું બારણું ખોલ્યું. કુમારને કહ્યું : ‘તું આ ભોયરામાં ઊતરી જા. જરાય અવાજ ન કરીશ.' કુમાર ભોયરામાં ઊતરી ગયો. આચાર્યદેવે ભોંયરાનું બારણું બંધ કર્યું. એના ઉપર પુસ્તકો એવી રીતે ગોઠવી દીધાં કે તપાસ કરવા માટે આવનારાઓને ભોંયરાની કલ્પના જ ના આવે. જેટલા ભાગમાં ભોંયરું હતું, એ બધી જગા ઉપર પુસ્તકોના વ્યવસ્થિત ઢગલા મૂકી દીધા. વચ્ચે વચ્ચે પુસ્તકો બાંધવાના કપડાના ટુકડાઓ પણ ખોસી દીધા. બધું વ્યવસ્થિત કરીને, ઓરડો બંધ કરીને, આચાર્યદેવ પોતાની જગાએ આવીને બેસી ગયા. એકાદ કલાક પછી પાટણથી આવેલી સૈનિકોની ટુકડી, કુમારપાલને શોધતી શોધતી ઉપાશ્રયના દ્વારે આવી પહોંચી. ટુકડીનો સરદાર નવો હતો. આચાર્યદેવને ઓળખતો ન હતો. એટલે આચાર્યદેવની પાસે આવીને ઉદ્ધતાઈથી પૂછવા માંડ્યો : ‘સ્વામીજી, તમારા આ આશ્રમમાં કુમારપાલ આવ્યો છે. તે ક્યાં છે ? અમને સોંપી દો. અમે મહારાજા ગુરુદેવે પ્રાણરક્ષા ફરી Jain Education International For Private & Personal Use Only ૬૩ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy