SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કુમાર આ વાત ૫૨ હસી પડ્યો... તેણે કહ્યું : ‘મહાત્મન્, જ્યાં એક ભિખારી કરતાંય મારી ખરાબ દશા છે... જંગલોમાં લપાતો-છુપાતો રઝળું છું... ક્યારેક બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી ખાવા અન્ન નથી મળતું... એવો હું અભાગી રાજા બનીશ ? ના રે ના...' ‘કુમાર, તારી વાત પણ સાચી છે ! આવી સ્થિતિમાં તને રાજા બનવાની વાત સાચી ના લાગે ! પરંતુ મને તારું ભવિષ્ય ઘણું જ ઊજળું લાગે છે.' કુમારે વિચાર્યું : આ યોગી પુરુષ છે. તેમનું કથન ખોટું ના હોય. છતાં એમને નિશ્ચિત સમય પૂછી લઉં અને તેઓ બતાવી દે... તો થોડી હિંમત આવે !' તેણે ગુરુદેવને પૂછ્યું : ‘હે યોગીરાજ, શું તમે કહી શકશો કે ક્યાં વર્ષમાં, ક્યા મહિનામાં ને કઈ તિથિના દિવસે હું રાજા થઈશ ?' ગુરુદેવ તો જ્ઞાની હતા ! યોગસિદ્ધ પુરુષ હતા !' તેમણે કહ્યું : વિ.સં. ૧૧૯૯, માગસર વદ ચોથના દિવસે તને રાજગાદી મળશે ! આ મારું સિદ્ધ વચન છે. જો મારું આ ભવિષ્યકથન ખોટું પડે તો આ જ્યોતિષશાસ્ત્રનો ત્યાગ કરી દઉં ! તેમણે શિષ્ય પાસે બે કાગળ પર આ ભવિષ્ય કથન લખાવ્યું. એક કાગળ કુમારપાલને આપ્યો અને બીજો કાગળ મહામંત્રી ઉદયનને આપ્યો. - મહર્ષિ હેમચન્દ્રસૂરિજીનું આવું ચમત્કારિક જ્ઞાન જોઈને આનંદ અને આશ્ચર્યથી કુમારપાલ નાચી ઊઠ્યો. પોતાનાં બધાં દુઃખ ભૂલી ગયો. બે હાથ જોડી મસ્તક ગુરુદેવનાં ચરણોમાં મૂકી તે હર્ષથી ગદ્ગદ સ્વરે બોલ્યો : ‘ગુરુદેવ, આપનું આ ભવિષ્યકથન જો સાચું પડશે તો આ રાજ્ય હું આપને જ અર્પણ કરીશ. આપ જ રાજાધિરાજ બનશો. હું આપનો ચરણસેવક બનીને રહીશ.’ આચાર્યદેવના મુખ પર સ્મિત રેલાઈ ગયું. તેઓએ વાત્સલ્યભર્યા ગુરુદેવે પ્રાણરક્ષા કરી Jain Education International For Private & Personal Use Only ૬૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy